SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપ કચરો વીણનારા દિવાળીનું પર્વ આવે એટલે અગાઉથી ઘરોમાં, દુકાનોમાં સાફસૂફી ચાલે, રંગરોગાન થાય, સ્વચ્છ અને ઊજળા થઈને તે પર્વ ઊજવવાનું ગમે. દિવાળીમાં કેટલી બધી જૂની વસ્તુઓ અને નકામો કચરો ઘરમાંથી નીકળે. કેટલાકને કચરો કાઢવાનો આનંદ હોય છે, તો કેટલાકને કચરો મેળવ્યાનો આનંદ થાય છે. ઉભય પક્ષે પર્વોત્સવ હોય છે. આપણાં કેટલાંક પર્વો સાથે કચરો (સ્થળ અને સક્ષ્મ) કાઢવાની પ્રથા સંકળાયેલી છે એમાં કેટલું બધું દૂરંદેશીપણું રહેલું છે ! આવાં પર્વો ન હોય તો જીવન અસ્વચ્છ અને પ્રમાદી બની જાય. કચરો એ મનુષ્ય જીવનનું સનાતન અંગ છે. મૃત્યુની ઘટના તમામ જીવોના શરીરને કચરામાં રૂપાંતરિત કરી નાખે છે. પદાર્થોને નકામા બનાવી દેવાની શક્તિ વાયુ, જલ, તેજ અને અગ્નિ ધરાવે છે. ધરતીકંપ, વાવાઝોડું, પૂર, આગ વગેરેનો ઉપદ્રવ થાય ત્યારે તો કેટકેટલી વસ્તુ ભાંગી જાય છે, તૂટીફૂટી જાય છે. આવા મોટા ઉપદ્રવો ન હોય તો પણ વસ્તુને જીર્ણ કરવાની તાકાત કાળમાં રહેલી છે. જૂની વસ્તુનો નિકાલ અને નવી વસ્તુના ઉત્પાદનમાં વિપુલ માનવશક્તિ સતત વપરાતી રહે છે. જગતમાં સમાજવ્યવસ્થા અને અર્થવ્યવસ્થા હંમેશાં એવી ત્રુટિવાળી રહેવની કે જેથી એક માણસનો કેટલાક પ્રકારનો કચરો તે બીજાને માટે ઉપયોગની વસ્તુ બની રહે છે. જૂનાં કપડાં, જૂનાં વાસણો, જૂનું રાચરચીલું, જુનાં સાધનો, જૂની મોટરકાર, અરે જૂનાં વિમાનો સુધ્ધાં એકને કાઢી ૨૯૪ : સાંપ્રત સમાજ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002034
Book TitleSamprat Samaj Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Culture, & Social
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy