SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ દાક્તર, તમે સાજી થાવ ! દાક્તરો આપણને સાજા થવાનું કહે કે આપણે દાક્તરોને સાજા થવાનું કહેવાનું હોય ? સામાન્ય રીતે દાક્તર આપણને સાજા થવાનું કહે એ જ યોગ્ય છે. તેઓ આપણને સાજા કરે કારણ કે દર્દીને સાજા કરવાનો દાક્તરનો વ્યવસાય છે. વસ્તુત: દાક્તરનું એ વ્યાવસાયિક કર્તવ્ય પણ છે, પરંતુ ક્યારેક એવી ઘટનાઓ બને છે કે જેથી દાક્તરને સાજા થવા માટે ભલામણ કરવાનું આપણને મન થાય. દાક્તરને સાજા કરવાની આવડત કે શક્તિ આપણામાં ન હોય, તેમને આવી સલાહ આપવાનું નૈતિક બળ પણ આપણામાં ન હોય, અને વળી તે અનધિકાર ચેષ્ટા બને તો પણ ક્યારેક કોઈકના મનમાં એવો ભાવ ઊઠે પણ ખરો. વસ્તુતઃ મને પોતાને તો દાક્તરોનો ઘણો સારો અનુભવ છે. તો પણ દુનિયામાં બનતી ઘટનાઓનો પડઘો આપણા મનમાં પડે છે. દાંતના દાક્તરના દાંત દુખે નહિ કે પડે નહિ એવું બની શકે. આંખના દાક્તરને ચશ્મા કે મોતિયો ન જ આવે કે કાનના દાક્તર બહેરા ન થયા હોય એમ બને નહિ. એકંદરે તો દાક્તરો જે રોગના નિષ્ણાત હોય અને દર્દીઓની સારવાર કરતા હોય તેઓ પોતે તો એ બાબતમાં એટલી સંભાળ લઈ શકે. આમ છતાં હૃદયરોગના નિષ્ણાત દાક્તર હૃદયરોગથી મૃત્યુ પામ્યા હોય અથવા કેન્સરના રોગના દાક્તરનું અવસાન કેન્સરથી થયું હોય એવા કેટલાયે ઉદાહરણો જોવા મળશે. રોગ અને મૃત્યુમાંથી દાક્તરો પણ બચી દાક્તર, તમે સાજા થાવ! ઝ૯ ૨૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002034
Book TitleSamprat Samaj Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Culture, & Social
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy