SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાગ તપશ્ચર્યાના નિયમને કારણે કોઈક વ્યક્તિ કોઈ વાનગી ન ખાય તે જુદી વાત છે. પરંતુ પોતાને બધા જ પ્રકારની વાનગી ભાવે એવી વ્યક્તિઓ ઓછી હોય છે. તેમાં પણ મસાલાના વત્તાઓછાપણું હોય તો પણ બધી વાનગી પોતાને ભાવે એવી વ્યક્તિઓ તો એથી પણ ઓછી હોય છે. જેની સ્વાદેન્દ્રિય વધુ ઉત્તેજિત રહેતી હોય, ખાવા-પીવાના જેને બહુ ચટકા હોય અને ખાવાપીવાની બાબતમાં બહુ ચીકણા અને વાંધા-વચકાવાળા માણસો હોય તેઓને અજાણી જગ્યાએ ઘણી તકલીફ પડે છે. દેશ-વિદેશમાં પોતાની પ્રિય વાનગી ક્યાં મળે છે તે શોધવા માટે ઘણા પ્રવાસીઓ રખડતા હોય છે અને પોતાની ઇચ્છા પ્રમાણે પોતાની પ્રિય વાનગી ખાવા ન મળે તો અતિશય નિરાશ થઈ જાય છે. જે માણસે દુનિયામાં ઘણો પ્રવાસ કરવો હોય એ માણસ આહાર વિશેની પોતાના ધર્મની મર્યાદા અનુસાર “બધું જ ભાવે અને બધું જ ફાવે' એ સૂત્રને પોતાનું સૂત્ર બનાવી લેવું જોઈએ. આહારનો પ્રશ્ન માનવજાતનો એક સનાતન પ્રશ્ન છે. દરેક જીવની ઘણીખરી પ્રવૃત્તિ આહારની આસપાસ ગોઠવાયેલી હોય છે. બીજાં પ્રાણીઓ કરતાં મનુષ્યનું આહારક્ષેત્ર અત્યંત વિશાળ છે. એથી જ માનવજાતના કેટલા બધા કલાકો રોજેરોજ આહાર પાછળ વપરાય છે. જીવવા માટે ખાવાથી માંડીને ખાવા માટે જીવવું ત્યાં સુધીમાં કેટલી બધી કક્ષા હોય છે! ઘરે ઘરે જુદાં જુદાં રસોડાને બદલે સ્થળે સ્થળે મોટાં સ્વચ્છ, સુઘડ, સુંદર સામુદાયિક રસોડાં ચાલતાં હોય તો કેટલા બધા માનવકલાકો ઈતર સર્જનાત્મક, સંશોધનાત્મક, મનોરંજક કે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે વાપરી શકાય. પરંતુ માનવજાતિના ભાગ્યમાં એ લખાયું નથી, કારણ કે મનુષ્યની પ્રકૃતિ તેને અનુરૂપ નથી. વળી જો તેમ થાય તો પણ બચેલા કલાકો મનુષ્ય સર્જનાત્મક પ્રવૃત્તિમાં વાપરશે કે સંહારાત્મક, ખંડનાત્મક પ્રવૃત્તિમાં તેની કોઈ ખાતરી નથી. પોતાના ઘરે રાંધીને ખાવું કે બહાર જાહેર સ્થળમાં કોઈકના હાથનું રાંધેલું ખાવું એ પ્રશન સમૃદ્ધ દેશો કરતાં અવિકસિત દેશોને વધારે મૂંઝવનારો છે. સમૃદ્ધ દેશોમાં મોટી સારી સારી સ્વચ્છ રેસ્ટોરાં અને હાટેલોમાં ભેળસેળ વગરની, સારી રીતે પકાવેલી મનપસંદ સ્વાદિષ્ટ વાનગીઓ પીરસાય છે. એથી રોગચાળો થવાનો સંભવ ઓછો રહે છે. માણસ જુદી જુદી વાનગી માટે વખણાતી જુદી જુદી રેસ્ટોરાંમાં જઈને ખાવાનો પોતાનો શોખ સંતોષે છે. એવી રીતે ખાવું તે ઘર કરતાં મોંઘું પડતું હોવા છતાં લોકોને તે પોસાય માયને સજવાબરૂ જ ૧૦૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002034
Book TitleSamprat Samaj Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati, Culture, & Social
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy