SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ આ ઘટનાએ જૈન સમાજમાં ઘણો ખળભળાટ મચાવી દીધો. તે સમયે આગમોદ્ધારક શ્રી સાગરાનંદજી મહારાજે પણ આ ઘટનાનો સખત વિરોધ કર્યો હતો. પૂ. રામવિજયજી મહારાજે પણ આ ઘટના સામે આંદોલન ગાવ્યું હતું. એમણે પૂ. સાગરજી મહારાજ સાથે વિચારવિનિમય કરીને આ બાબતમાં કંઈક કરવું જોઈએ તેવો નિર્ણય કર્યો હતો. એ સમયે સાગરાનંદજી મહારાજના ભક્તોએ લાલન-શિવજી સામે આ બાબત અંગે અદાલતમાં કેસ દાખલ કર્યો હતો. અદાલતમાં જુબાની આપવા માટે છાણીથી ઉગ્ર વિહાર કરીને પૂ. સાગરજી મહારાજ સુરત આવી પહોંચ્યા હતા. શાસ્ત્રોના આધારે એમણે આપેલી સમર્થ જુબાનીને કા૨ણે અદાલતનો ચુકાદો લાલન-શિવજીની વિરુદ્ધ આવ્યો હતો. એમ કહેવાય છે કે પંડિત લાલનને પોતાને તીર્થંકર તરીકે ઓળખાવવાની કોઈ ઇચ્છા નહોતી, પરંતુ ભક્તોના આગ્રહને તેઓ વશ થઈ ગયા હતા. એ માટે એમને પશ્ચાત્તાપ થયો હતો. ત્યાર પછી તો પંડિત લાલન અમદાવાદમાં પૂ. રામવિજયજી મહારાજના વ્યાખ્યાનમાં આવતા અને એ સાંભળીને તેમણે પોતાની ભૂલ માટે પોતાનો પશ્ચાત્તાપ વ્યક્ત કર્યો હતો. તેમના હૃદયનું પરિવર્તન થયું હતું. દેવદ્રવ્ય, બાળદીક્ષા, વ્યવહારુ કેળવણી, સમાજસુધારો, તિથિચર્ચા વગેરે વિષયોમાં પૂ. રામવિજયજી મહારાજ પોતાના વિચારો મોક્ષના લક્ષ્યની દૃષ્ટિથી, તત્ત્વદર્શન અને શાસ્ત્રના આધારે સચોટ રીતે રજૂ કરતા, પરંતુ ફક્ત વર્તમાન વ્યવહારુ ઉપયોગી દૃષ્ટિથી જ વિચારતા. લોકો સાથે આવા વિષયોમાં વૈચારિક સંઘર્ષ થાય અને તેના આઘાત-પ્રત્યાઘાત પડે એ સ્વાભાવિક છે. પોતાના જીવનકાળ દરમિયાન પૂ. રામચંદ્રસૂરિજી મહારાજે આવા ઘણા ઝંઝાવાતો જોયા હતા, અને તે દરેક પ્રસંગે તેઓ જરા પણ ચલાયમાન થયા નહોતા. પોતાના વિચારો અને પોતાના નિર્ણયમાં તેઓ હંમેશાં અડગ રહ્યા હતા. એમની આવી નીડરતાને કારણે એમને કેટલીક વાર સહન પણ કરવું પડતું, પરંતુ તે બધું તેઓ નિર્ભયતાથી સહન કરતા. એમનું ખૂન કરવાની ધમકીના પત્રો પણ એમના ઉપર ક્યારેક આવતા અને એથી એમના ગુરુ મહારાજ શ્રી પ્રેમવિજયજી રાત્રે ઉપાશ્રયમાં રામવિજ્યજીના સંથારાનું સ્થાન બદલાવી નાખતા. એમની વહો૨વા માટેની ગોચરીમાં ઝેર ભેળવી દેવાશે એવી અફવાઓ પણ ઊડતી. એટલા માટે તેમના એક શિષ્ય ચારિત્રવિજયજી ભક્તિભાવપૂર્વક સ્વેચ્છાએ પહેલાં પોતે ગોચરી વાપરી પછી જ એમને વાપરવા આપતા. રામવિજ્યજી મહારાજની યુવાન વયે આવી કેટલીક કનડગત થોડો સમય ચાલેલી. પૂ. રામચન્દ્રસૂરિ મહારાજે ગુજરાત અને રાજસ્થાન ઉપરાંત દિલ્હી, ૪૨ ચરિત્રદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy