SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ આપેલી. એટલે બોમ્બે, બરોડા એન્ડ સેન્ટ્રલ ઇન્ડિયા રેલવે (બી.બી. એન્ડ સી.આઈ. રેલવે) એવું નામ રાખવું પડ્યું. ગાયકવાડ સરકારે ડભોઈથી વિશ્વામિત્રી સુધી આવતી પોતાની મીટરગેજ જી.ડી. રેલવે ગાયકવાડ-ડભોઈ રેલવે)ને વિ. સં. ૧૯૫૩માં પાદરા સુધી લંબાવી હતી. ત્યાર પછી એ રેલવેને માસરરોડ સુધી લંબાવવામાં આવી અને એનું નામ ગાયકવાડ બરોડા સ્ટેટ રેલવે રાખવામાં આવ્યું. પરંતુ માસરરોડથી આગળ બ્રિટિશ રાજ્ય ચાલુ થતું હતું. ગાયકવાડ સરકારની ઇચ્છા એ લાઈનને જંબુસર સુધી લઈ જવાની હતી. પરંતુ સીમલા બોર્ડ ઘણાં વર્ષ સુધી એ પરવાનગી આપી નહોતી. એટલે એ વિસ્તારમાં ગાડામાં કે પગપાળા સફર કરવી પડતી. શાળામાં અભ્યાસ કર્યા પછી ત્રિભુવનને નોકરીએ બેસાડવામાં આવ્યો હતો. એ વખતે પાદરામાં ચુનીલાલ શિવલાલની અનાજની મોટી પેઢી ચાલતી હતી અને રાજસ્થાન તથા ઉત્તર ભારતમાંથી અનાજ ટ્રેન દ્વારા પાદરામાં આવતું. કિશોર ત્રિભુવનની હોશિયારી જોઈને શેઠ ચુનીલાલે એને રાજસ્થાનમાં બાલોતરા ગામે અનાજની ખરીદી માટે મોકલેલો. આવો દૂરનો પ્રવાસ જાતે એકલા કરવાને લીધે ત્રિભવનની હોશિયારીની વાત પાદરામાં જાણીતી થઈ ગઈ હતી. ત્રિભુવનને વ્યાવહારિક કેળવણીમાં બહુ રસ ન હતો પરંતુ નવઘરી નામની શેરીમાં આવેલા ઉપાશ્રયમાં સાંજે પાઠશાળા ચાલતી તેના અભ્યાસમાં વધુ રસ હતો. પાદરાની નવઘરી એ જમાનામાં ધર્મપ્રવૃત્તિઓથી સતત ધબકતી રહેતી. મોટા મોટા આચાર્ય ભગવંતો પાદરા જેવા નાના ગામને ચાતુર્માસનો લાભ આપતા. ૫. પૂ. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીએ પણ કેટલાંક ચાતુર્માસ પાદરામાં કર્યા હતાં. એ જમાનામાં પાદરામાં વખતોવખત દીક્ષાના પ્રસંગો ઊભા થતા. જૈન સાધુ સમાજમાં પાદરાનું યોગદાન નાના ગામના પ્રમાણમાં ઘણું મોટું રહ્યું છે. છેલ્લાં પચાસ-સાઠ વર્ષમાં પાદરામાંથી પચાસથી વધુ વ્યક્તિઓએ દીક્ષા લીધી છે. એમાં પાદરાની જેમ પાઠશાળાનો પણ ઠીક ઠીક ફાળો રહ્યો છે. એ જમાનામાં પાઠશાળાનો વહીવટ વકીલ મોહનલાલ હીમચંદ તથા ડાહ્યાભાઈ વનમાળીદાસ કરતા. - પાદરામાં બે દેરાસર છે : નવઘરી પાસેનું સ્પત્તિનાથ ભગવાનનું મોટું દેરાસર અને ઝંડા બજાર પાસે આવેલું સંભવનાથ ભગવાનનું નાનું દેરાસર. ત્રિભુવન નાના દેરાસર પાસે રહેતો એટલે ત્યાં પૂજા કરવા જતો. પણ પાઠશાળા ફક્ત નવઘરીમાં હતી. એટલે સાંજના નવઘરીમાં ભણવા આવતો. - પાદરાના ધાર્મિક વાતાવરણમાં વખતોવખત પધારતા સાધુ-ભગવંતોની પ્રેરક અને ઉબોધક વાણીનો લાભ મળવા ઉપરાંત પાઠશાળાના એક શિક્ષક શ્રી ઊજમશી માસ્તરનું યોગદાન પણ ઘણું મોટું હતું. તેઓ કાઠિયાવાડમાં આવેલા ચોટીલા ગામના શ્રી વિજયરામચન્દ્રસૂરિ મહારાજ ૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy