SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિજયરામચન્દ્રસૂરિ મહારાજ સુવિશાલ ગચ્છાધિપતિ, સંઘ-સ્થવિર, જૈન શાસનના મહાન જ્યોતિર્ધર, યુગપુરુષ, પરમ ગીતાર્થ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ ૯૬ વર્ષની ઉંમરે અમદાવાદમાં સં. ૨૦૪૭ના અષાઢ વદ ૧૪ (તા. ૯૮-૧૯૯૧)ના રોજ અરિહંત પરમાત્માના ધ્યાનમાં મગ્ન બનીને સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. એમના સ્વર્ગવાસથી જૈન શાસનને એક મહાન આચાર્યપ્રવરની ખોટ પડી છે. છેલ્લાં ત્રણેક વર્ષથી એમની તબિયત નબળી રહેતી હતી, તેમ છતાં તેઓ અપ્રમત્ત રહેતા. તેઓ રાત્રે માત્ર બે કલાકની નિદ્રા લેતા અને ધ્યાનમાં તથા જાપમાં સમય વિતાવતા. આવી વૃદ્ધાવસ્થામાં પણ તેઓ નવી નવી ગાથાઓ કંઠસ્થ કરતા. સં. ૨૦૪૬નું ચાતુર્માસ ખંભાતમાં કરી તેઓ અમદાવાદ પધાર્યા. અંતિમ શિષ્ય મુનિ હિતરુચિવિજયની દીક્ષા પછી તેઓ સાબરમતીમાં ચાતુર્માસ માટે પધાર્યા હતા. પ. પૂ. સ્વ. વિજયરામચંદ્રસૂરીશ્વરજીનું ૭૯ વર્ષનું સુદીર્ઘ દીક્ષાજીવન સંખ્યાબંધ મહત્ત્વની ઘટનાઓથી સભર હતું. એમનું જીવન એટલે ઇતિહાસ, છેલ્લા સૈકામાં થઈ ગયેલા મહાન જૈનાચાર્યોનો ઇતિહાસ, પ. પૂ. રામચંદ્રસૂરીશ્વરજીનાં જીવન અને કાર્યની નોંધ વિના અધૂરો ગણાય. શ્રી રામચંદ્રસૂરિનો જન્મ એમના મોસાળના ગામ દેહવાણમાં વિ. સં. ૧૯૫રના ફાગણ વદ ૪ના રોજ થયો હતો. એમનું નામ ત્રિભુવન રાખવામાં આવ્યું હતું. એમના પિતાનું નામ છોટાલાલ અને માતાનું નામ સમરથબહેન હતું. બાળક ત્રિભુવનના જન્મ પછી માતા પિયરથી પાદરા આવે તે પહેલાં તો પિતાશ્રી છોટાલાલનું અવસાન થયું હતું. છોટાલાલને બીજા બે ભાઈઓ હતા. છોટાલાલની માતાનું નામ શ્રી વિજયરામચન્દ્રસૂરિ મહારાજ ને ૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy