SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ચેલા સ્વીકારવા જ પડશે.” વૃદ્ધિચંદ્રજી મહારાજે કહ્યું કે, “જો ગુરુદેવની આજ્ઞા હોય તો એક ચેલો તમે કરો અને એક ચેલો મને આપો.” મૂળચંદજી મહારાજે કહ્યું, “એમ બની નહિ શકે, કારણ કે ગુરુમહારાજે મને આજ્ઞા કરી છે કે દીક્ષા આપીને મારે એ બંનેને આપના જ શિષ્ય કરવાના છે.' છેવટે વૃદ્ધિચંદ્રજી મહારાજે દીક્ષા આપીને તેમને વૃદ્ધિચંદ્રજી મહારાજના શિષ્ય બનાવ્યા. એકનું નામ રાખવામાં આવ્યું મુનિ ગંભીરવિજયજી અને બીજાનું નામ મુનિ ચારિત્રવિજયજી. પોતાને બે શિષ્યો થયા એટલે સમય જોઈને વૃદ્ધિચંદ્રજી મહારાજે ગુરુદેવને કહ્યું, ‘ગુરુદેવ ! મારે બે ચેલા છે અને મૂળચંદજી મહારાજને એક પણ ચેલો નથી.” એ સાંભળી બુટેરાયજી મહારાજે મૂળચંદજી મહારાજને કહ્યું, “મૂલા ! હવે જેને દીક્ષા આપે તેને તારો ચેલો બનાવજે.” ગુરુમહારાજની આજ્ઞા થતાં કિશનગઢથી આવેલા એક યતિને દીક્ષા આપીને મૂળચંદજી મહારાજે એમને પોતાના ચેલા બનાવ્યા. એમનું નામ રાખવામાં આવ્યું મુનિ ગુલાબવિજયજી. વૃદ્ધિચંદ્રજી મહારાજની અને મૂળચંદજી મહારાજની નિઃસ્પૃહતા અને ઉદારતા કેટલી બધી હતી તે આવા પ્રસંગો ઉપરથી જોઈ શકાય છે. વૃદ્ધિચંદ્રજીના વડીલ ગુરબંધુ મૂલચંદજી મહારાજ એમના કરતાં ઉંમરમાં ચાર વર્ષ મોટા હતા. તેમણે દીક્ષા પણ વહેલી લીધી હતી. વળી તેઓ શરીરે સુદઢ અને સશક્ત હતા. એટલે એમણે યોગવહન કરીને ગણિની પદવી મેળવી હતી. પરંતુ વૃદ્ધિચંદ્રજી મહારાજ પોતાની નાદુરસ્ત તબિયતને કારણે ઈચ્છા અને ભાવના હોવા છતાં યોગવહન કરી શક્યા નહોતા. એટલે એમણે પોતાના મુનિપદથી પૂરો સંતોષ માન્યો હતો પોતાના ગુરુબંધુ પ્રત્યે તેઓ પૂરો વિનય સાચવતા. તેમની આજ્ઞા સ્વીકારતા. વિ. સં. ૧૯૩૮માં ગુરુમહારાજ બુટેરાયજી અમદાવાદમાં કાળધર્મ પામ્યા. એથી જાણે એક આધારસ્તંભ ગયો હોય એવો એમને ખેદ થયો. હવે સમુદાયની જવાબદારી ગણિવર્ય મૂળચંદજી મહારાજ ઉપર આવી. વર્ષે વર્ષે સાધુ-સાધ્વીઓની સંખ્યા વધતી જતી હતી. પણ એની બધી વ્યવસ્થામાં મૂળચંદજી મહારાજ અત્યંત કુશળ હતા. જૈન ધર્મ પ્રસારક સભા તરફથી વિ. સં. ૧૯૫૪માં શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર ગદ્યમાં પ્રગટ થયેલું, એનો આધાર લઈને વળાવાળા શ્રી દુર્લભજી મહેતાએ પદ્યમાં સાત પરિચ્છેદમાં ઢાળ અને દુહાની મળીને ૧૧૨૫ કડીમાં રાસના પ્રકારની સુદીર્ઘ રચના સં. ૧૯૭૨માં કરી છે. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ પ્રત્યે એમના શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy