SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ લીધે પછી તો ઘરની બહાર જવા-આવવાનું બંધ થયું. બહેન ઈન્દિરા રસોઈ ઉપરાંત બાની બધી ચાકરી કરતી. ચારે ભાઈ અને એક બહેનનાં લગ્ન થતાં ખેતવાડીની ચાલીની રૂમમાં હવે બા-બાપુજી સાથે બે ભાઈ અને એક બહેન રહ્યાં. હવે ગુજરાતની ચિંતા નહોતી. બધા ભાઈઓને ત્યાંથી રકમ આવતી. હવે બાનો હાથ છૂટો રહ્યો. પિતાજી નોકરી છોડી નિવૃત્ત થયા. બીજા બે ભાઈનાં લગ્ન થતાં બા-બાપુજી અને બહેન ઇન્દિરા વાલકેશ્વર મોટા ઘરમાં રહેવા આવ્યાં. ચાલીની રૂમ પછી છોડી દીધી. દરમિયાન પ્રમોદભાઈએ પણ જુદું ઘર લીધું, ઇન્દિરાબહેનનાં પણ લગ્ન થયાં અને ભરતભાઈએ પણ મોટું ઘર લીધું. જીવનના અંત સુધી બા-બાપુજી ભરતભાઈને ત્યાં રહ્યાં. - સિત્તેરની ઉંમરે દાંત ગયા પછી બાને આંખે મોતિયો પાકવા આવ્યો ત્યારે અમે કહ્યું, “બા, તમે ઓપરેશન કરાવો તો બરાબર દેખાશે.” એ દિવસોમાં ઓપરેશન એ મોટી વાત હતી. મોતિયાના ઓપરેશનમાં ચારેક દિવસ હોસ્પિટલમાં રહેવું પડતું. બાએ કહ્યું, “મારે ઓપરેશન કરાવવું નથી. નહિ દેખાય તો મારે કોઈને પણ શું કામ છે ? હું મારે શાંતિથી રહેવા માગું છું. પછી તો બાને ડાયાબિટીસની તકલીફ ચાલુ થઈ એટલે ડૉક્ટરે જ ઓપરેશનની ના પાડી. પરિણામે બાને તદ્દન ઝાંખું દેખાતું સાવ પાસે કોઈ આવે તો અણસાર આવે. અવાજથી જ બધાંને ઓળખે. આંખના અંધાપા સાથે બાની શારીરિક અશક્તિ પણ વધી ગઈ. તેઓ આખો દિવસ પલંગમાં બેસતાં કે સૂતાં. પિતાશ્રી પણ આખો દિવસ બા પાસે બેસતા અને નવકારમંત્ર, સ્તવનાદિ સંભળાવતા. બા અમારા સૌથી નાનાભાઈ ભરતભાઈને ત્યાં રહેતાં. એમણે તથા એમનાં પત્ની જ્યાબહેને છેલ્લાં વર્ષોમાં બાને નવડાવવામાં, ખવડાવવામાં, શૌચાદિ ક્રિયા કરાવવામાં ઘણી સારી સેવાચાકરી કરી હતી. એમ કરતાં પોષ સુદ ૭, વિ. સં. ૨૦૨૧ના દિવસે ઈ. સ. ૧૯૭૫માં ૭૫ વર્ષની વયે બાએ મધરાતે હૃદયરોગનો હુમલો થતાં શાંતિથી દેહ છોડ્યો. એક ઉત્તમ આત્માએ જીવનલીલા સંકેલી લીધી. એ વખતે તત્ત્વના જાણકાર પિતાશ્રીએ સારી સ્વસ્થતા અને સમતા ધારણ કરી હતી અને અમને પણ સ્વસ્થ રહેવા કહ્યું હતું. બાનું જીવન એટલે સમવિષમ સંજોગોથી સભર ધર્મમય સમતામય જીવન. બાની કૂખે અમને જન્મ મળ્યો એ અમારા જીવનની ધન્યતા છે. એમના પુણ્યાત્માને કોટિ કોટિ વંદન. (‘વંદનીય હૃદયસ્પર્શમાંથી) ૨૧૮ ચરિત્રદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy