SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ જેઠાલાલના ઘરે એમના કોઈ સગા આવ્યા હતા. તેઓ વૈદું કરતા. બાએ એમને મારી આંગળીઓ બતાવી. વૈદે કહ્યું ચેપ ઘણો વધી ગયો છે એટલે હવે બરાબર ઉપચાર નહિ કરો તો આંગળીઓ કપાવવી પડશે. હવે ચાલુ મલમપટ્ટીથી નહિ મટે. એ વખતે એમણે ઉપચાર બતાવ્યો. લોઢાના ચેલિયામાં ગંધક, પારો અને કણજીનું તેલ ભેળવીને બરાબર લસોટવું. એવી રીતે જે મલમ થાય એ બધી આંગળીએ લગાડી પાટો બાંધી લેવો. વૈદે બતાવેલા આ ઉપચારથી થોડા દિવસમાં આંગળીઓમાં રૂઝ આવી ગઈ. અને એમ કરતાં સદંતર મટી ગયું. આટલે વર્ષે પણ એ ઘટના. અને ઉપચાર મને યાદ છે. બાને રોજ સવારે નાહીને દેરાસર દર્શન-પૂજાનો નિયમ હતો. શ્રીમંત હતા ત્યારે વસાવેલી ચાંદીની ડબ્બીમાં ચોખા વગેરે ભરીને લઈ જાય. પાછા ફરતાં તેઓ રોજ પાસેની શેરી નવઘરમાં આવેલા મણિભદ્રના સ્થાનકમાં જઈ દીવો કરી પગે લાગતાં. તેમને મણિભદ્ર દેવમાં ઘણી શ્રદ્ધા હતી. હું શાળામાં ભણતો થયો ત્યારે એમણે મને રોજ મણિભદ્રના સ્થાનકે જઈ દીવો કરવાની ટેવ પાડી હતી. નવઘરીમાં આ જૂનું સ્થાનક હવે રહ્યું નથી. દેરાસરમાં નવું સ્થાન થયું છે.) પિતાશ્રી માટે પાદરામાં ગુજરાન ચલાવવાનું પછી વધુ કઠિન બન્યું હતું. તેઓ નામું લખવામાં બહુ હોશિયાર હતા અને એમના અક્ષર પણ મરોડદાર હતા. એવામાં વડોદરામાં “આર્યનિતિક નાટક સમાજ નામની નાટક કંપનીમાં એક મિત્રની ભલામણથી નામું લખવાની નોકરી મળી ગઈ. એક મહિના પછી તે નાટક કંપની મુંબઈ ગઈ એટલે પિતાજીને મુંબઈ જવું પડ્યું. નાટક કંપની ત્યાં બે વર્ષ રોકાવાની હતી એટલે પિતાજી મુંબઈમાં વ્યવસ્થા કરી અમને તેડવા આવ્યા. અમારું કુટુંબ ૧૯૩૭માં મુંબઈમાં આવીને વસ્યું. ખેતવાડી વિસ્તારમાં એક ચાલીમાં એક રૂમ પિતાશ્રીએ ભાડે રાખી હતી. મુંબઈમાં આવતાં બાપુજીએ અમને એક ખાસ સૂચના આપી. અમારા પ્રદેશમાં માને નામથી બોલાવવાનો રિવાજ હતો. એટલે અમે બધાં “રેવા' કહેતાં. મુંબઈમાં બાપુજીએ કહ્યું કે હવે “રેવા નહિ કહેવાનું, “બા' કહેવાનું. રસ્તામાં તમે રેવા કહીને વાત કરતાં હો તો ફાલતુ માણસો પણ નામ જાણી જાય. પછી તેઓ નામની બૂમ પાડી સંતાઈ જાય. અહીં મવાલીઓ પણ ઘણા હોય છે. એટલે અમે બધાએ “બા' કહેવાનું ચાલુ કર્યું. મુંબઈ આવીને બા બહુ રાજી થયાં. તેમણે કહ્યું, પાદરા કરતાં અહીં ઓછી મહેનત. પાદરામાં તો બપોરે તડકામાં તળાવે કપડાં ધોવા જતી. અહીં મુંબઈમાં તો ઘરમાં નળમાં પાણી આવે એટલે વાર ન લાગે. નાની હતી અને ઓડમાં ઊંડા ૨૧૨ જ ચરિત્રદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy