SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ સાંભળવા રાત્રે એકઠી મળતી. એ દિવસોમાં સામાન્ય માણસો માટે મુંબઈ એ સ્વપ્ન સમાન હતું. ગામમાંથી કોઈક જ મુંબઈ સુધીનું રેલવેભાડું ખર્ચી શકે. અમથીબા ઘણાં હોશિયાર, પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર અને પરગજુ હતાં. પાદરામાં બાળપણમાં મેં એમની સાથે દસેક વર્ષ ગાળેલાં, એ દિવસો અને મુંબઈ કાયમ માટે આવી રહ્યાં એ દિવસો નજર સામે તરવરે છે. અમથીબાને ઘણી વિદ્યાઓ આવડે. સાપ કે વીંછી કરડ્યો હોય, આધાશીશી થઈ હોય કે નાનાં છોકરાંઓને તાવ આવ્યો હોય કે ઉટાટિયું થયું હોય – એ બધું ઉતારવાની મંત્રવિદ્યાઓ તેમને આવડતી. એમની એ વિદ્યાથી ઘણાંને લાભ થતો અને ગામના લોકોને એમનામાં ઘણી શ્રદ્ધા હતી. દિવસ કે રાત દરમિયાન ગમે ત્યારે ગમે તે વ્યક્તિ આવી હોય, પણ અમથીબાના મોઢામાંથી કોઈને ના કહેવાઈ હોય કે પછીથી આવજો' એવું પણ કહેવાયું હોય એવું બન્યું નહોતું. મચકોડ ઉતારવા માટે તેઓ “કાંકરા’ ભરડિયા)નો ઉપયોગ કરતાં. આંખ આવી હોય તે વ્યક્તિને પોતાની સામે બેસાડતાં. વચ્ચે પાણી ભરેલી થાળી રાખતાં અને કાઠી સળગાવી હાથમાં રાખી તે ગોળ ગોળ ફેરવ્યું જતાં. એનું પ્રતિબિંબ થાળીમાં પડતું. તેઓ મંત્ર ભણતાં અને પછી જોરજોરથી મોટા અવાજ સાથે પોતાને બગાસાં ચાલુ થાય ત્યાં સુધી તે મંત્ર ભણતાં. આ બધાં દશ્યો બાળપણમાં મેં નજરે નિહાળેલાં છે. તેમને છીંકણી બનાવતાં સરસ આવડતું. થોડે થોડે વખતે છીંકણી બનાવીને આસપાસનાં બૈરાંઓને મફત ડબ્બી ભરી આપતાં. તેવી જ રીતે ધુપેલ પણ સરસ બનાવતાં. મને બરાબર એ દ૨ય યાદ છે કે જ્યારે તે આવી રીતે મોટી સગડી ઉપર ધુપેલ બનાવતાં હતાં ત્યારે તેલમાં મોટો ભડકો થયો હતો અને તરત તે ઓલવી નાખ્યો હતો. અમે નાના હતા ત્યારે અમથીબાને કહેતા કે “તમારી મંત્રવિદ્યાઓ અમને શિખવાડો.” ત્યારે તેઓ કહેતાં કે પોતાનાં ગુરએ એ ગમે તેને આપવાની ના પાડી છે અને યોગ્ય પાત્ર જણાય તેને કાળી ચૌદસની રાત્રે બાર વાગે નાહીધોઈને શુદ્ધ થયા પછી જ આપી શકાય. જીવનના અંત સુધી તેમણે એ વિદ્યાઓ કોઈને આપી નહોતી. અમૃતલાલ બાપાને ભાઈઓમાં બે નાના ભાઈ હતા. એમાં વચેટ ભાઈલાલ નાની ઉંમરમાં ગુજરી ગયેલા. સૌથી નાના ભાઈનું નામ ડાહ્યાભાઈ. બંને ભાઈનાં સંતાનોમાં તેઓ “ડાહ્યાકાકા' તરીકે જ જાણીતા હતા. બધાં ડાહ્યાકાકાનું નામ પ્રેમથી સંભારે છે. તેઓ બહુ બુદ્ધિચાતુર્યવાળા, અનુભવી અને રમૂજી સ્વભાવના હતા. વેપારાર્થે તેઓ સતત મુસાફરી કરતા રહેતા અને દર વખતે એકાદ-બે ભત્રીજાને સાથે લઈ જતા. મારા પિતાશ્રીને વીસ-પચીસ વર્ષની ઉંમરે ડાહ્યાકાકા સાથે સમગ્ર ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને ઉત્તર ભારતમાં દરેક મોટા શહેરમાં જવાનું થતું. ૧૯૬ ૯ ચરિત્રદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy