SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વામીનો છંદ, રત્નાકર-પચીસી, કેટલાંક પદો તથા સ્તવનો તેઓ રોજ બોલે છે. પહેલા તીર્થકર ઋષભદેવથી ચોવીસમા તીર્થકર મહાવીર સ્વામી સુધી રોજ અનુક્રમે એક તીર્થંકરનાં ઓછામાં ઓછાં પાંચ સ્તવનો ગાય છે : બે કે ત્રણ સ્તવનો યશોવિજયજીનાં, એક આનંઘનજીનું, એક દેવચંદ્રજીનું અને એક મોહનવિજયજીનું. આ ઉપરાંત પણ કોઈ જાણીતું સ્તવન હોય તો તે બોલે છે. પછી આખો દિવસ જે તીર્થકર ભગવાનનાં સવારે બોલેલાં સ્તવનો હોય તે એમના મનમાં ગુંજ્યાં કરે છે. અગાઉ તેમને દોઢસોથી વધુ સ્તવનો કંઠસ્થ હતાં. છેલ્લાં કેટલાંક વર્ષથી કોઈ કોઈ સ્તવનમાં ભૂલ પડે છે. એટલે જીવનની ચોપડી હવે પાસે રાખે છે. સવારે ચા-પાણી લઈ, સ્નાન કરી, શુદ્ધ વસ્ત્ર પહેરી તેઓ નવસ્મરણ બોલે છે. નવસ્મરણ એમને કંઠસ્થ છે પણ હવે તેમાં પણ ભૂલ પડતી હોવાથી પાસે ચોપડી રાખે છે. સવારે ભોજન પછી તેઓ આખો દિવસ જુદા જુદા મંત્રના જાપ તથા લોગસ્સ સૂત્રનું રટણ કરે છે. સરેરાશ બસો વખત લોગસ્સ બોલાતો હશે. દિવસ દરમિયાન બપોરે છાપાં, સામયિકો કે પુસ્તકોનું યથેચ્છ વાચન કરે છે. પોતે જે જે વાંચ્યું હોય તેમાં પેન્સિલથી લીટી કરી નિશાની રાખે છે કે જેથી ભૂલથી ફરીથી એ વાંચવામાં ન આવે. કોઈ મળવા આવ્યું હોય તો તેટલો સમય વાતચીતમાં પસાર થાય છે. આ ઉંમરે પણ સ્મૃતિ ઘણી જ સારી છે. વર્ષો પહેલાંની ઘટનાઓ અને નામો બધું સ્મૃતિમાં તાજું છે. - પિતાશ્રીનો જન્મ ઈ. સ. ૧૮૯૭માં પાદરામાં થયો હતો. પોતાની જન્મસાલા યાદ રાખવા માટે તેઓ કહે છે કે જે વર્ષે ગાયકવાડ સરકારે વિશ્વામિત્રી સ્ટેશનથી પાદરા સુધીની નેરોગેજ રેલવેલાઈન નાખી તે વર્ષે પોતાનો જન્મ થયો હતો. પાદરાના રેલવે સ્ટેશનને એ રીતે સો વર્ષ થવા આવ્યાં. ઘણાં વર્ષો સુધી રેલવે પાદરા સુધી રહી. પછી એને માસર રોડ સુધી લંબાવવામાં આવી અને પછી જંબુસર સુધી લઈ જવામાં આવી - પિતાશ્રીએ શિક્ષણ પાદરાની શાળામાં લીધું હતું. એ વખતે એમના સહાધ્યાયીઓમાંના એક તે ગચ્છાધિપતિ વિજયરામચંદ્રસૂરિ હતા. એમનું નામ ત્યારે ત્રિભુવન હતું. ત્રિભુવને વનક્યુલર શાળામાં છઠ્ઠા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી એમણે દીક્ષા લીધી હતી. પિતાશ્રીએ વર્નાક્યુલર શાળામાં ચાર ધોરણ કર્યા પછી હાઈસ્કૂલમાં અંગ્રેજી પાંચ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. હજુ આગળ ભણવાની એમની ઈચ્છા હતી. મેટ્રિક થયું હતું. ભણવામાં પણ હોશિયાર હતા. પરંતુ ઘરનો વેપારધંધો મોટા પાયે ચાલતો હતો એટલે ભણવાનું છોડી નાની વયે વેપારધંધામાં લાગી ગયા હતા. સાંજને વખતે તેઓ પાઠશાળામાં ધાર્મિક મારા પિતાશ્રી : ૧૮૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy