SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ અને શુભ લક્ષ્મી અવશ્ય નાશ પામે. મહાલક્ષ્મી તો ક્યારેય નાશ ન પામે. તે ભવાંતરમાં પણ સાથે આવે. જ્યાં નેત્રયજ્ઞ હોય ત્યાં કાકા સ્થાનિક કાર્યકર્તાઓને એક નાનકડી સભા યોજવાનું કહે. દર્દી અને એમના બરદાસીઓ તથા ડૉક્ટરો, કાર્યકર્તાઓ, સ્થાનિક લોકો એ અમારો શ્રોતાગણ. અડધો કલાક કાર્યક્રમ ચાલે. અમારામાંના કોઈ કાર્યકર્તાઓને આ સભાઓ દ્વારા જાહેરમાં બોલવાનો મહાવરો થયો હતો. એક વખત એક સભ્યને બોલતાં બીજું કંઈ આવડ્યું નહિ તો એમણે દોશીકાકાના ત્રણ નારાયણની જ વાત કરી. એટલે દોશીકાકાને તે દિવસે બીજો વિષય લેવો પડ્યો હતો. દરેક નેત્રયજ્ઞમાં સભા પછી ભોજનનું નિમંત્રણ સ્થાનિક કાર્યકર્તાઓ ત૨ફથી હોય જ. આરંભનાં વર્ષોમાં નેત્રયજ્ઞમાં ૭૦૦-૮૦૦ દર્દીઓ આવતા. કાકાની સુવાસ એવી કે દર્દીઓને જમાડવા માટે અનાજ વગેરે સામગ્રી ગામનાં શ્રેષ્ઠીઓ તરફથી મળતી. બળતણ માટે લાકડું દરેક ઘરેથી એક એક આવે. એટલે કશી મુશ્કેલી ન રહે. કાકામાં કુશળ વહીવટી શક્તિ અને સૂઝ છે. નેત્રયજ્ઞ એટલે આખા ગામનો ઉત્સવ. કાકા સવારના પાંચ વાગ્યાથી રાતના બાર સુધી કામ કરે. કોઈક વખત તો તેઓ એક દિવસમાં ૧૨૫થી વધુ ઑપરેશન કરે, છતાં થાકનું નામ નહિ. પહેલાં સરકારી નિયમ એવો હતો કે જે નેત્રયજ્ઞમાં સો કે તેથી વધુ દર્દીઓ થયા હોય તો તે નેત્રયજ્ઞ માટે સરકાર સહાય કરે. એક વખત એક નેત્રયજ્ઞમાં બધું મળીને નવ્વાણું દર્દીઓ થયા. કાર્યકર્તાઓએ કહ્યું, ‘કાકા, કોઈ એક માણસની આંખ જોઈને પછી એનું નામ-સરનામું ચોપડામાં લખી દઈએ તો સો દર્દી થઈ જાય અને આપણને સરકારી ગ્રાન્ટ મળે.” પરંતુ કાકાએ કહ્યું, ‘એવી રીતે ખોટું આપણાથી ન કરાય.' કાર્યકર્તાઓનો આગ્રહ છતાં કાકા મક્કમ રહ્યા હતા. મહીકાંઠાના હિરલાલભાઈ બે આંખે વર્ષોથી સદંતર અંધ હતા. એક વખત આણંદની કૉલેજના સેવાભાવી પ્રોફેસર ડૉ. ભાનુપ્રસાદ ચોક્સી એમને કાકા પાસે લઈ આવ્યા. કાકાએ કહ્યું કે કદાચ ઑપરેશનથી પચીસેક ટકા તેજ આવે. એ રીતે ઑપરેશન થયું અને હિરલાલભાઈ થોડુંક દેખતા થયા. તેઓને જાણે કે નવી જિંદગી મળી. દોશીકાકાની તેઓ રોજ સાંજે એક માળા – દોશીકાકા, દોશીકાકા' એ નામથી માળા જપતા. એક વખત અમારો નેત્રયજ્ઞ પંચમહાલમાં દેવગઢ બારિયા પાસે સાગતાળા અમાા પૂજ્ય શ્રી દોશીકાકા ૧૮૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy