SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ધરપકડ થઈ. તે પછી હંસાબહેને એ નેતૃત્વ સંભાળ્યું ત્યારે એમની પણ ધરપકડ થઈ હતી અને એમને કારાવાસ ભોગવવો પડ્યો હતો. હંસાબહેને એક સુશિક્ષિત સન્નારી તરીકે ત્યારે માત્ર ગુજરાતમાં જ નહિ, સમગ્ર ભારતમાં મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું. ૧૯૩૪માં હિંસાબહેન મુંબઈ કૉંગ્રેસ સમિતિનાં અધ્યક્ષ બન્યાં હતાં. ૧૯૩૭માં બ્રિટિશ શાસન દરમિયાન મુંબઈ ધારાસભાની ચૂંટણીમાં હંસાબહેન ચૂંટાઈ આવ્યાં હતાં. ખેરસાહેબના પ્રધાનમંડળમાં તેઓ શિક્ષણ ખાતાના નાયબપ્રધાન થયાં હતાં. એ બતાવે છે કે હંસાબહેન કેટલાં લોકપ્રિય હતાં અને વહીવટી ક્ષેત્રે કેટલાં બધાં કાર્યદક્ષ હતાં. હંસાબહેનનો જીવ સાહિત્યકારનો હતો. કૉલેજમાં અભ્યાસ કરતાં હતાં ત્યારથી જ એમની લેખનપ્રવૃત્તિ ચાલુ થઈ ગઈ હતી. બાળસાહિત્યમાં તેમને વિશેષ રસ હતો. એમણે “બાળ વાર્તાવલિ', “અરુણનું અદ્ભુત સ્વપ્ન વગેરે કૃતિઓ ઉપરાંત નાટકના ક્ષેત્રે ત્રણ નાટકો', હિમાલય સ્વરૂપ અને બીજાં નાટકો' જેવી મૌલિક કૃતિઓ રચી હતી. તદુપરાંત મોલિયેરના નાટક ઉપરથી બાવલાનાં પરાક્રમોની રચના કરી હતી તથા શેક્સપિયરના નાટક “હેમ્લેટ’ અને ‘વેનિસનો વેપારી'ના અનુવાદ જેવી રચનાઓ આપી હતી. તદુપરાંત એમણે રામાયણના અરયકાંડ, યુદ્ધકાંડ અને સુંદરકાંડ ઉપરથી પણ અનુવાદો કર્યા હતા. યુનિવર્સિટીના વહીવટી ક્ષેત્રમાં જોડાયા પછી હંસાબહેનની લેખનપ્રવૃત્તિ સ્થગિત થઈ ગઈ હતી જે જીવનના અંત સુધી ફરી પાછી ચાલુ થઈ નહોતી. ભારતને આઝાદી મળી ત્યારે ૧૯૪૭ની પંદરમી ઓગસ્ટે (૧૪મી ઑગસ્ટે રાતના બાર વાગે) સ્વાતંત્ર્ય-પર્વની ઉજવણી વખતે ભારતની મહિલાઓ વતી રાષ્ટ્રને રાષ્ટ્રધ્વજ અર્પણ કરવાનું સદભાગ્ય હંસાબહેનને પ્રાપ્ત થયું હતું. સ્વતંત્ર ભારતનું બંધારણ ઘડવા માટે બંધારણ સભાની (Constituent Assembly)ની રચના થઈ ત્યારે તેના એક સભ્ય તરીકે તેમની વરણી થઈ હતી. સ્વતંત્ર ભારતમાં મહિલાઓને સમાન હક અને સમાન તક મળે એ માટે એમણે એક આવેદનપત્ર બંધારણ સભામાં રજૂ કર્યું હતું. યુનાઈટેડ નેશન્સ તરફથી માનવહકોનું જાહેરનામું (Charter of Human Rights) ઘડવા માટે પંચની રચના થઈ ત્યારે ભારતનાં મહિલા પ્રતિનિધિ તરીકે હંસાબહેનની નિમણૂક થઈ હતી. હંસાબહેને એ પંચના સભ્ય તરીકે પાંચ વર્ષ કાર્ય કર્યું હતું અને તેમાં છેલ્લા વર્ષમાં તો તેઓ પંચનાં પ્રમુખ થયાં હતાં. યુનેસ્કોની સમિતિના સભ્ય તરીકે પણ તેમની વરણી થઈ હતી. એમની સિદ્ધિઓ દર્શાવે છે કે બુદ્ધિશક્તિ, વિષયની જાણકારી, મૌલિક ચિંતન વગેરેમાં તેઓ કેવાં તેજસ્વી હતાં ! ૧૬૮ ચરિત્રદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy