SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વજ્ઞાનમાં રહેતો. હંસાબહેને મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પરીક્ષા ફિલોસોફીના વિષય સાથે સારા માર્ક્સ પાસ કરી. તે પછી તેઓ વધુ અભ્યાસ અર્થે ઇંગ્લેન્ડ ગયાં. તેમણે ત્યાં રહીને લંડન યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર અને પત્રકારત્વના વિષયનો અભ્યાસ કર્યો. ઇંગ્લેન્ડમાં આ બે વર્ષના અભ્યાસ દરમિયાન તેમને સુપ્રસિદ્ધ ભારતીય કવયિત્રી શ્રીમતી સરોજિની નાયડુનો પરિચય થયો હતો. ૧૯૨૦માં જિનીવામાં ઇન્ટરનેશનલ વિમેન્સ કોન્ફરન્સ યોજાઈ હતી તેમાં ભાગ લેવા માટે તેઓ સરોજિની નાયડુ સાથે જિનીવા ગયાં હતાં. જે દિવસોમાં પ્રવાસીઓ માટે વિમાનવ્યવહાર નહોતો એ દિવસોમાં તેઓ સ્ટીમરમાં ઇંગ્લેન્ડ ગયાં હતાં. ઇંગ્લેન્ડમાં બે વર્ષ અભ્યાસ કર્યા પછી ૧૯૨૨માં તેઓ વધુ અભ્યાસ અર્થે અમેરિકા ગયાં હતાં. ૧૯૨૩માં સાન ફ્રાંસિસ્કોમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય કેળવણી પરિષદમાં તેમણે ભાગ લીધો હતો. આ રીતે યુવાન વયે જ તેમણે પોતાની તેજસ્વિતા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે દાખવી હતી. ૧૯૨૩માં હંસાબહેન વિદેશમાં અભ્યાસ કરીને વડોદરા પાછાં ફર્યા તે વખતે તેમની ઉંમર પચીસેક વર્ષની હતી. એ જમાનામાં એક કૉલેજકન્યા તરીકે આટલી બધી પ્રગતિ કરનાર અને એટલી તેજસ્વી કારકિર્દી ધરાવનાર યુવતીનો જોટો મળે નહિ. એ દિવસોમાં સામાજિક રૂઢિઓનાં બંધનો હતાં. જે જમાનામાં મોટા ભાગની છોકરીઓ હાઈસ્કૂલમાં અભ્યાસ કરવા જતી ન હતી, તથા જવલ્લે જ કોઈક છોકરી મેટ્રિક સુધી પહોંચતી હતી અને પંદર-સત્તર વર્ષે છોકરીઓનાં લગ્ન થઈ જતાં એ જમાનામાં યુનિવર્સિટીની ડિગ્રી મેળવ્યા પછી વિદેશ જઈ ઉચ્ચ અભ્યાસ કરીને પાછાં આવવું એ એક કૉલેજકન્યા માટે વિરલ ઘટના હતી. પરંતુ બીજી બાજુ એમાં સામાજિક સમસ્યા ઊભી થતી કે આવી કન્યાઓ માટે પોતાની જ્ઞાતિમાં યોગ્ય ઉમેદવાર હોય નહિ અને અન્ય જ્ઞાતિમાં લગ્ન થઈ શકે નહીં. જ્ઞાતિનાં બંધનો આજે જેટલાં શિથિલ છે તેટલાં ત્યારે નહોતાં. જ્ઞાતિમાંથી બહિષ્કત થવું એ ઘણી મોટી સજા ગણાતી હતી. એ દિવસોમાં હંસાબહેન મહેતા માટે પોતાની વડનગરા નાગર જ્ઞાતિમાં કોઈ યોગ્ય યુવાન હતો નહિ. સર મનુભાઈ દીવાનનું કુટુંબ પ્રગતિશીલ હતું. છતાં જ્ઞાતિનાં બંધનો તોડવા જેટલું સાહસ કરવાની હિંમત તેમનામાં હતી કે કેમ તે પ્રશ્ન છે. એ વખતે વડોદરા રાજ્યમાં ચીફ મેડિકલ ઓફિસર તરીકે કામ કરનાર તેજસ્વી યુવાન ડૉ. જીવરાજ મહેતા હતા. તેઓ અમરેલીના વતની હતા અને અમરેલી વડોદરા રાજ્યનું શહેર હતું. એટલે ગાયકવાડી રાજ્યમાં તેના પ્રજાજનો તરીકે ડૉ. જીવરાજ મહેતાને સયાજીરાવ ગાયકવાડે મોટી પદવી આપી હતી. ડો. જીવરાજ મહેતા કપોળ જ્ઞાતિના હતા. હંસાબહેન માટે તે યોગ્ય ઉમેદવાર હતા. તેમની સાથે હંસાબહેનનાં લગ્ન થાય એવી સયાજીરાવની ઇચ્છા અને સંમતિ ૧૬૬ = ચરિત્રદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy