SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ચોપાઈ' પુસ્તક મેં એમને અર્પણ ક૨વાનું નક્કી કર્યું. એમણે ના પાડી, છતાં એ અર્પણ કર્યું અને એના અર્પણપૃષ્ઠમાં મેં એમને માટે નીચેની કાવ્યપંક્તિઓ લખી : ચંદ્રવદન ને ચાંદામામા, ચં.ચી. ને વળી સી.સી. જી રખે ન વાંચો એવો તમને ગ્રંથ અર્પણ કરતો જી.' મને શેં અર્પણ, રમણભાઈ ? હું નથી શાલિભદ્દર જી, શીલભદ્ર કે શીલાભદ્ર કે નથી. હું વળી ધન્ના જી.' ભલે ન હો તમે શાલિભદ્ર, કે વળી હો ન ધનાજી, ગ્રંથ અર્પણ કરીને તમને થાતો હું કંઈ ધન્ના (ધન) જી. નાટકો બહુ લખ્યાં, જોયાં ને ર્માં દેશવિદેશે જી, ગઠરિયાંઓ બાંધી બહુ ને છોડી કંઈક અનેરી જી. ધનાશાલિ જેવું કથાનક જોયું હશે ન કશે જી; નાટક એનું લખશો તમે તો થાશે મને પ્રસન્ન જી.’ મને એમ હતું કે જૂની ગુજરાતી ભાષાનું આવું પુસ્તક ચંદ્રવદન કદાચ નહિ વાંચે. પણ સુખદ આશ્ચર્ય સાથે મારે કહેવું જોઈએ કે ચંદ્રવદન આખો ગ્રંથ વાંચી ગયા અને મને કહે કે “આ તો સરસ જૈન કથા છે. નાટ્યાત્મક અંશોથી ભરપૂર છે.’” ત્યાર પછી એક વખત એમણે પત્ર લખેલો કે “ ધન્ના શાલિભદ્ર’નું નાટક લખાઈ ગયું છે.' એમણે લખેલું આ નાટક જોવા મળે તે પહેલાં તો તેઓ વિદાય થઈ ગયા. ચંદ્રવદન વડોદરાના. એમના પિતાશ્રીએ રેલવેમાં નોકરી કરેલી. એટલે બાલ્યકાળથી જ ચંદ્રવદનને રેલવેની મુસાફરીની આદત પડી ગયેલી. રેલવેની એમની જાણકારી પણ એટલી બધી. કેટલાંક વર્ષ પહેલાં એમણે એક વર્તમાનપત્રમાં રેલવેએ સમયપત્રકમાં અને અન્ય સુધારા કેવા કેવા ક૨વા જેવા છે તે વિશે રોજ એક નવું ચર્ચાપત્ર લખવાનું ચાલુ કરેલું. જો તેમને ભારતના રેલવેપ્રધાન બનાવ્યા હોત તો ભારતની રેલવે ખરેખર આધુનિકતાથી સુસજ્જ અને કરકસરવાળી હોત ! વડોદરામાં જ્યારે ત્યાં સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના થઈ ત્યારે તેના પ્રથમ વાઇસ ચાન્સેલર તથા લેખિકા શ્રીમતી હંસાબહેન મહેતાને વડોદરાના નવલકથાકાર રમણલાલ વ. દેસાઈ તથા ઉમાશંકર જોશીએ ભલામણ કરી હતી કે કોઈથી ન બંધાય એવા આ ભટકતા અલગારી શક્તિશાળી લેખક ચંદ્રવદન મહેતાને એમની શરતે તમે યુનિવર્સિટીના ખીલે બાંધશો’ તો ગુજરાતી સાહિત્યને એથી ઘણો લાભ થશે.'' હંસાબહેને એ સૂચન સ્વીકારી લીધું. યુનિવર્સિટીમાં એક ખાસ ઠરાવ કરાવીને ચંદ્રવદન જીવે ત્યાં સુધી યુનિવર્સિટીની હૉસ્ટેલમાં રહી શકે અને વિઝિટિંગ પ્રોફેસ૨ ચંદ્રવદન મહેતા ૧૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy