SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ચરિત્રદર્શન | ડૉ. રમણલાલ ચી. શાહના કેટલીક વિશિષ્ટ વ્યક્તિઓ વિશેના ૨૯ ચરિત્રલેખોનું સંપાદન છે. આ ચરિત્રગ્રંથમાં સમાવિષ્ટ કરેલાં પ્રથમ આઠ ચરિત્રો એક યા બીજા સ્વરૂપે પ્રાત: સ્મરણીય લેખી શકાય તેવી વિભૂતિઓનાં છે. પૂજનીય જૈન સાધુ- સાધ્વી-સંતોનું વિચારકર્મ અને જીવનકર્મ તેમાં શબ્દસ્થ થયું છે. આવાં ચરિત્રોની વિશેષતા એ છે કે તેમાં કેવળ પ્રસંગ માહિતી કે ઘટનાઓ જ છે એવું નથી પણ એવી ઘટનાઓ - પ્રસંગોની પડછે ચરિત્ર નાયક કે નાયિકાનું બાહ્ય સાથે આંતર વ્યક્તિત્વ કેવી સમજ્જવલતા સાથે પ્રકાશે છે અને તેનો પ્રભાવ અનુયાયી કે ભાવિક ભજનો ઉપર, જૈન સંપ્રદાય ઉપર કેવો પડે છે તે પણ હૃદ્ય રીતે દર્શાવાયું છે. રમણલાલનાં ચરિત્રો તેમના વ્યક્તિત્વનાં તેમ તેમના વૈવિધ્યસભર રસક્ષેત્રનાં પણ ઘાતક છે. રમણલાલ જીવનની સકલકલાનો સ્વીકાર કરે છે. તેથી જ કદાચ તેમના ચરિત્રનાયકો પણ વિવિધ ક્ષેત્રોમાંથી ઊંચકાતા આવ્યા છે. જો જૈનના પ્રભાવક સ્થવિરો તેમને આકર્ષે છે તો રાજ કારણ, સેવાકારણ કે રમતકારણમાં પડેલી વ્યક્તિઓનું પણ તે તેટલું જ ખેંચાણ અનુભવે છે. એ પ્રકારની વ્યક્તિઓ સાથે તેમના અંગત સંબંધો પણ રહ્યા છે, પરિણામે એવાં ચરિત્રો વાચક માટે કેટલાંક નવ્ય વિશ્વોને ઉદ્ઘાટિત કરી આપે છે. | એન.સી.સી.માં વીસેક વર્ષ ઉત્સાહ થી પસા૨ ક૨ના૨ રમણલાલે એ ક્ષેત્રના ‘બેરરથી બ્રિગેડિયર’ સુધીનાં જે વિશિષ્ટ પાત્રોનો પરિચય કરાવ્યો છે તેમાંથી પાંચેક ચરિત્રો અહીં લીધાં worth છે. It આ ૨૯ ચરિત્રો રમણલાલની ચરિત્રકાર તરીકેની મહત્ત્વની લાક્ષણિકતાઓ પ્રકટ કરી આપે એવી સમૃદ્ધિ દાખવે છે. lain Education International For Private & Personal use Quy www.jamelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy