SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ બેઠા તે દરમિયાન તેઓ બંને વચ્ચે પોતાના કૉલેજકાળનાં કેટલાંયે સંસ્મરણો તાજાં થયાં. તેઓ બંને ત્યારે એંશીની ઉંમર વટાવી ચૂક્યા હતા એટલે પોતાના સમકાલીન કેટલાય વિદ્યાર્થીમિત્રોની વાત થતી ત્યારે તેમાં કોણ ક્યારે ક્યાં કેવી રીતે ગુજરી ગયા તેની વાત નીકળતી. પોતાના સમકાલીન એક માત્ર મીનુ મસાણી હયાત છે એવું ત્યારે જાણવા મળ્યું હતું. ચીમનભાઈએ પૂછ્યું કે “એંસીની ઉંમરે તમે આટલી બધી દોડાદોડી કેવી રીતે કરી શકો છો ? હું તો ક્યાંય જઈ શકતો નથી.” ચંદ્રવદને કહ્યું, “મારે આગળપાછળની કશી ચિંતા નથી. ઘરબાર નથી. માલ-મિલકત નથી. આખો દિવસ લખું છું, વાંચું છું. ક્યાંથી ક્યાં જાઉં છું. પણ શરીર સારું રહેવાનું એક મુખ્ય કારણ એ છે કે ભાવે એવું માપસર ખાઉં છું. કોઈના આગ્રહને વશ થતો નથી. અને વર્ષોથી રોજ નિયમિત ત્રિફળા લઉં છું.” વર્ષોથી એકલા રહેવાને કારણે ચંદ્રવદનને જાતે રસોઈ કરવાનો મહાવરો ઘણો સારો થઈ ગયો હતો. છેલ્લાં કેટલાંય વર્ષથી તેઓ સયાજીરાવ યુનિવર્સિટીની હોસ્ટેલમાં મનુભાઈ મહેતા હૉલમાં) બીજે માળે રહેતા હતા. હોસ્ટેલના રસોડે જમવું હોય તો એમને જમવાની છૂટ યુનિવર્સિટી તરફથી મળેલી હતી. છતાં તેઓ પોતે પોતાના રૂમમાં હાથે રસોઈ કરીને જમતા. અલબત્ત, તેમને મિત્રો-સંબંધીઓના ઘરેથી જમવાનાં ઘણાં નિમંત્રણ મળતાં રહેતાં. એટલે કેટલીય વાર હાથે રસોઈ કરવાનું રહેતું નહિ. આમ છતાં રસોઈની તેમને આળસ નહોતી. એમના હાથની રસોઈ જમવાના પ્રસંગો મારે કેટલીક વાર આવ્યા છે. વડોદરા યુનિવર્સિટીની કોઈ મિટિંગ માટે કે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના કામકાજ માટે કે કોઈ સાહિત્યિક કાર્યક્રમ માટે મારે વડોદરા જવાનું થયું હોય તો મનુભાઈ મહેતા હોલ પર જઈને શ્રી ચંદ્રવદનભાઈને અચૂક મળવાનું રાખતો. કેટલીક વાર પત્ર લખીને અગાઉથી જણાવતો, તો કેટલીક વાર અચાનક જઈ ચડતો. કોઈ કોઈ વાર મુંબઈથી રાતની ગાડીમાં બેસી બીજે દિવસે પરોઢિયે વડોદરા ઊતરતો તો સીધો ચંદ્રવદન પાસે પહોંચી જતો. તેઓ ચા બનાવે અને અમે સાથે પીતા. તેમનો સ્વભાવ એટલો કડક અને આગ્રહ છતાં એટલો જ પ્રેમભર્યો રહેતો કે તેઓ ચા બનાવતા હોય કે રસોઈ કરતા હોય અને હું એમની પાસે જઈને કહ્યું “લાવો કંઈ મદદ કરું તો તેઓ ગુસ્સામાં કહેતા, “છાનામાના ખુરશીમાં બેસી જાવ, મારે તમારી મદદની કંઈ જ જરૂર નથી.” એમના અવાજમાં આગ્રભર્યો રણકો એવો રહેતો કે તરત ખુરશીમાં બેસી જવું પડતું. નેવું વર્ષની ઉંમરે પણ ચંદ્રવદન જેમ એકલા બધે પ્રવાસ કરતા તેમ હાથે રસોઈ કરતા અને તે શોખથી કરતા. ગુજરાતી સાહિત્યકારોના અંગત જીવનની આ એક અદ્વિતીય ઘટના છે. છેલ્લે છેલ્લે હોસ્ટેલમાં જ્યારે એમને મળ્યો ત્યારે સયાજીરાવ યુનિવર્સિટીની કથળેલી સ્થિતિ, વિદ્યાર્થીઓની હડતાલો, તોફાનો, ચંદ્રવદન મહેતા ૧૪૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy