SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ચંદ્રવદન મહેતા સુપ્રસિદ્ધ નાટ્યકાર શ્રી ચંદ્રવદન ચીમનલાલ મહેતાનું વડોદરામાં તા. ૪થી મે, ૧૯૯૧ના રોજ નેવું વર્ષની ઉંમરે અવસાન થયું. એમના અવસાનથી એક સમર્થ સાહિત્યસ્વામી અને ઉષ્માભર્યા વડીલ સ્વજન ગુમાવ્યાનું દુઃખ અનુભવ્યું. ઇલાકાવ્યો'ના કવિ, ‘આગગાડી', ‘નાગાબાવા', “મૂંગી સ્ત્રી' વગેરે નાટ્યકૃતિઓના લેખક, બાંધ ગઠરિયાં', “છોડ ગઠરિયાં', “સફર ગઠરિયાં', રેડિયો ગઠરિયાં' વગેરે ગઠરિયાંઓના સર્જક, ભારતમાં અને વિદેશોમાં કેટકેટલી પરિષદોમાં પ્રમુખસ્થાન ધરાવનાર, ઓલ ઈન્ડિયા રેડિયોના ડાયરેક્ટર, રણજિતરામ સુવર્ણચંદ્રક અને એવા બીજા ચંદ્રકો અને પારિતોષિક મેળવનાર, આઝાદીની લડતમાં સત્યાગ્રહી તરીકે ભાગ લેનાર. ગાંધીજીના ‘નવજીવનમાં સંપાદકીય કાર્યવાહી કરનાર, પદ્મશ્રીનો ઈલ્કાબ ધરાવનાર, કેટલીક યુનિવર્સિટીઓમાં વિઝિટિંગ પ્રોફેસરનું નિમંત્રણ મેળવનાર, માનાહ ડોક્ટરેટની પદવી પ્રાપ્ત કરનાર, સતત પ્રવાસ કરનાર, અનેક કુટુંબો સાથે ઘરોબો ધરાવનાર, તરખાટવાળા, મિજાજે કડક અને દિલથી કોમળ એવા ચંદ્રવદન મહેતા સર્વતોમુખી પ્રતિભા ધરાવનાર “જિનિયસ' હતા. ઉમાશંકર જોશી, સુન્દરમ્સ્નેહરશ્મિના અવસાન પછી ચંદ્રવદનની વિદાયથી ગાંધીયુગના ત્રીસીના સર્જક કવિલેખકોનો યુગ હવે આથમી ગયો હોય તેવું ભાસે છે. ચંદ્રવદન મહેતાને મેં પહેલવહેલા જોયા અમારી ઝેવિયર્સ કોલેજમાં ૧૯૪૪માં. અમારા પ્રાધ્યાપક કવિ બાદરાયણ એમને વ્યાખ્યાન માટે અમારા વર્ગમાં લઈ આવ્યા હતા. બાદરાયણ (ભાનુશંકર વ્યાસ) અને ચંદ્રવદન મહેતા એલ્ફિન્સ્ટન કૉલેજમાં કવિવિવેચક નરસિંહરાવના વિદ્યાર્થી હતા અને એથી એમની વચ્ચે ગાઢ મૈત્રી હતી. એટલે ચન્દ્રવદન વ્યાખ્યાન આપવાના છે એ જાણીને મને બહુ આનંદ ચંદ્રવદન મહેતા : ૧૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy