SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ જી. ડી. પરીખે બતાવ્યું કે યુનિવર્સિટીના નિયમોમાં લેખિત વ્યાખ્યાનો આપવાનું કોઈ બંધન નથી ત્યારે તેમણે એ પુરસ્કાર સ્વીકારેલો. એક વખત મારે ઘરે હતા ત્યારે કોઈ સંસ્થાએ એમને ઘણાંબધાં પુસ્તકો ભેટ આપ્યાં. મોટાં બંડલો થયાં. અમદાવાદ જવાના હતા ત્યારે મને કહ્યું, “રમણભાઈ! આપણે સ્ટેશને અડધો કલાક વહેલા પહોંચવું છે. સામાનનું વજન કરાવવું છે.” મેં કહ્યું, “ફર્સ્ટ ક્લાસમાં આટલો સામાન તો લઈ જઈ શકાશે.” એમણે કહ્યું, “છતાં શંકામાં ન રહેવું. એક કિલો જેટલું વજન વધારે હોય તો ભલે કોઈ આપણને કંઈ ન પૂછે; પણ અજાણતાં આપણે મનથી તો ગુનેગાર થઈએ. માટે વજન કરાવીને જ જવું છે.” ઉમાશંકર જ્યારે મળે ત્યારે પ્રવાસની ઘણી વાતો નીકળે. તેઓ દરેક વખતે મને ટકોર કરે કે પ્રવાસનાં અનુભવો-સંસ્મરણો તરત લખી લેવાં જોઈએ. પ્રવાસઅનુભવો લખવાની બાબતમાં પોતાનો જ દાખલો આપતાં તેમણે કહ્યું કે “જુઓને ! મારા પોતાના પ્રવાસનાં સંસ્મરણો લખવાનું કેટલાં બધાં વર્ષોથી ઠેલાતું જાય છે !” યુરોપના પ્રવાસેથી હું અને મારાં પત્ની પાછાં ફર્યા હતાં અને ત્યાર પછી એમની જ ભલામણથી મારે ઑસ્ટ્રેલિયા જવાનું થયું હતું. ત્યારે એમણે તરત મને તા. ૧૬૭-'૭૭ના પત્રમાં લખ્યું હતું કે “પ્રબુદ્ધ જીવનમાં તમારા સુખરૂપ પાછા ફર્યાના વિગતે સમાચાર વાંચી પ્રસન્નતા થઈ. બધાં ખૂબ ખૂબ તાજાં, મનથી ને ચિત્તથી થયાં હશો ! તમે તો તરત પૂર્વ તરફ પ્રવાસે ચાલ્યા. પ્રવાસવર્ણનો ટૂંકો પણ તરત લખી દેવાં સારાં. પછી રહી જાય છે, ઘણી વાર તો નવા પ્રવાસ ખેડવામાં.” પાસપોર્ટની પાંખે અને પ્રદેશ જયવિજયના” એ બે મારાં પ્રવાસ-પુસ્તકોના લેખનમાં આ રીતે ઉમાશંકરની પ્રેરણા રહેલી છે. એક વખત હું ઉમેદભાઈ મણિયારને મળવા ગયો ત્યારે “સંસ્કૃતિની વાત નીકળી. તેમણે મને કહ્યું, ““સંસ્કૃતિ બંધ કરવાનો વિચાર ઉમાશંકર કરે છે, કારણ કે ગ્રાહકો બહુ જ ઓછા છે. “સંસ્કૃતિ માટે આપણે મુંબઈથી બસો-ત્રણસો નવા ગ્રાહકો જો કરી આપીએ તો “સંસ્કૃતિને વાંધો ન આવે.” એ માટે મારાથી બનતી સહાય કરવાનું અને બાર મહિનામાં કેટલાક સખાવતી ભાઈઓની સહાયથી બસો જેટલા નવા ગ્રાહકોનું લવાજમ ભરાવી આપવાનું મેં વચન આપ્યું અને એ દિશામાં કેટલુંક કામ પણ કર્યું. ત્યાર પછી ઉમાશંકર જ્યારે મુંબઈ આવ્યા ત્યારે મારા ઘરે એમની પાસે મેં અને ઉમેદભાઈએ તે માટે પ્રસ્તાવ મૂક્યો. ઉમાશંકરે તે માટે સ્પષ્ટ ના કહી. તેમણે કહ્યું, “ “સંસ્કૃતિને મારે આવી રીતે જિવાડવું નથી. “સંસ્કૃતિ પોતાનું ભાગ્ય હશે ત્યાં સુધી ચાલશે. “સંસ્કૃતિ' બંધ થાય તેથી મને કંઈ ક્ષોભ થશે નહિ. ઉમાશંકર જોશી -ક ૧૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy