SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ટ્રસ્ટીનો હોદ્દો ધરાવતા હતા. આટલી બધી સંસ્થાઓનાં કામને તેઓ એકલે હાથે કેવી રીતે પહોંચી વળતા હશે એવો પ્રશ્ન થાય. એનો જવાબ એ છે કે ચીમનભાઈ અત્યંત કુશળ વહીવટકતાં હતા. તેઓ દરેક બાબતનો પુખ્ત અને ઝીણવટભર્યો વિચાર કરતા, પરંતુ નિર્ણય ત્વરિત લેતા. પોતાના હાથ નીચેના માણસોમાં પૂર્ણ વિશ્વાસ મૂકી તેમની પાસેથી હોંશથી કામ લેતા. ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં તેઓ પોતાના મગજની સમતુલા અને સ્વસ્થતા ગુમાવતા નહિ. ચીમનભાઈ જેમ ચિંતનશીલ લેખક હતા તેમ કુશળ વક્તા અને વ્યાખ્યાતા હતા. લેખનમાં તેમ વક્નત્વમાં ગુજરાતી તેમજ અંગ્રેજી એ બંને ભાષા પર તેઓ અસાધારણ પ્રભુત્વ ધરાવતા હતા. શ્રી મુંબઈ જેન યુવક સંઘ તરફથી પ્રતિ વર્ષ યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં દર વર્ષે તેઓ કોઈ એક વિષય ઉપર મનનીય વ્યાખ્યાન આપતા. એમના વક્તવ્યમાં હંમેશાં ગહનતા, મૌલિકતા, નવો અભિગમ અને તાજગી રહેતાં. તેમની વાણી સ્પષ્ટ ને સચોટ હતી. શ્રોતાઓ પર તેનો ઊંડો પ્રભાવ પડતો. સ્વ. પરમાનંદ કાપડિયાના અવસાન પછી પ્રબુદ્ધ જીવનના તંત્રીપદની જવાબદારી ચીમનભાઈના માથે આવી પડી. એથી મોટો લાભ એ થયો કે વર્તમાન ભારતીય અને આંતરરાષ્ટ્રીય રાજદ્વારી ને ઈતર ઘટનાઓ વિશેના તેમના વિચારો, પ્રબુદ્ધ જીવનના વિશાળ વાચક વર્ગને સુલભ થયા હતા. ચીમનભાઈ સાથેનો મારો પરિચય વિશેષ ગાઢ થયો શ્રી મુંબઈ જૈન યુવક સંઘની પર્યુષણ વ્યાખ્યાનમાળાના પ્રમુખ તરીકે મને જવાબદારી એમણે સોંપી ત્યારથી. તે પહેલાં યુવક સંઘની કાર્યવાહક સમિતિની બેઠકોમાં અને અન્ય કાર્યક્રમોમાં એમને મળવાનું થતું, પરંતુ ત્યારે ઘણુંખરું ઔપચારિક વાતો થતી. જ્યારથી એમના નિકટના પરિચયમાં આવવાનું થયું ત્યારથી એમના વ્યક્તિત્વનાં વિવિધ સુંદર પાસાંઓનું દર્શન થતું ગયું હતું. કેટલીક વાર એમની સાથે પ્રવાસ કરવાનું પણ થયું હતું. છેલ્લાં કેટલાંક વર્ષથી એમની જ ભલામણથી એમની પાડોશમાં અમને ઘર મળ્યું હતું, એટલે વારંવાર મળવાનું અને સાથે બહાર જવાનું બનતું. જૈન ધર્મના વિવિધ વિષયોની એમની સાથે ચર્ચા થતી. તેઓ સ્થાનકવાસી સંપ્રદાયના મુખ્ય આગેવાન હતા, પરંતુ સંકુચિત સંપ્રદાયપરસ્તી એમનામાંથી નીકળી ગઈ હતી. એથી જ એમણે લંડનના જૈનોને મંદિર બાંધવા માટે ખાસ ભલામણ કરી હતી અને અમારી સાથે શત્રુંજયની યાત્રાએ આવવાની ઈચ્છા દર્શાવી હતી. એમના સાનિધ્યમાં અમને અપાર વાત્સલ્ય અનુભવવા મળતું. ચીમનભાઈનો અંતકાળ એક બહુશ્રુત તત્ત્વચિંતકને શોભે તેવો હતો. પોતે ચીમનલાલ ચકુભાઈ શાહ - ૧૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy