SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ રીતે વિચારીને જ આપતા. આથી જ દેશમાં કે વિદેશમાં પત્રકાર પરિષદ ભાઈ હોય ત્યારે પત્રકારો મોરારજીભાઈને હંફાવે એના કરતાં મોરારજીભાઈ પત્રકારોને હંફાવે એવી ઘટના વધુ બનતી. પત્રકાર પરિષદમાં પણ મોરારજીભાઈની પ્રતિપ્રશ્નની શૈલી વધુ જાણીતી હતી. પત્રકારને સીધો ઉત્તર આપવાને બદલે એ વિષય અને બાબતને અંગે તેઓ પત્રકા૨ને સામો એવો પ્રશ્ન પૂછતા કે પત્રકારને ચૂપ થઈ જવું પડતું. આ સજ્જતા કંઈ જેવીતેવી નહોતી. વિગતોની માહિતી તો હોવી જોઈએ. પરંતુ દરેક પ્રશ્ન અંગે પોતાની વિચક્ષણ બુદ્ધિથી કરેલું ચિંતન પણ હોવું જોઈએ. આથી જ મોરારજીભાઈ સાથે પત્રકારોની પરિષદ યાદગાર બની જતી. કટોકટી પછી તેઓ ભારતના વડાપ્રધાન બન્યા અને અમેરિકાની મુલાકાતે ગયા હતા ત્યારે ત્યાં આગળ પત્રકારોની સમક્ષ અને બીજા રાજદ્વારી પુરુષો સમક્ષ એમણે જે ઉદ્બોધન કર્યું હતું તે એટલું બધું સચોટ, માર્મિક અને ગૌરવવાળું હતું કે જયપ્રકાશ નારાયણે એમને ભારતમાંથી ફોન કરીને કહ્યું હતું કે, તમારા જેવા ભારતના વડાપ્રધાનને માટે અમે ખરેખર બહુ ગૌરવ અનુભવીએ છીએ.’ જ્યપ્રકાશ નારાયણ જેવી તટસ્થ, દેશભક્ત મહાન વ્યક્તિએ મોરારજીભાઈ માટે ઉચ્ચારેલા આવા શબ્દો મોરારજીભાઈ માટેના એક મોટા પ્રમાણપત્ર જેવા બની રહે છે. મોરારજીભાઈ વડાપ્રધાન હતા અને એ વખતે મુંબઈ આવ્યા હતા ત્યારે સ્વ. ચીમનલાલ ચકુભાઈ એમને મળવા જવાના હતા. ચીમનભાઈ મને પણ સાથે લઈ ગયા હતા. દસ મિનિટનો સમય આપ્યો હતો. ખાસ કોઈ કામ નહોતું. માત્ર ઔપચારિક મળવાનું જ હતું. અમે મોરારજીભાઈના નિવાસસ્થાને ગયા. આગળના મુલાકાતી બહાર નીકળ્યા એટલે અમને બોલાવ્યા. વડાપ્રધાન પદ ઉપર આરૂઢ થયા તે પછી મોરારજીભાઈને પહેલી વાર ચીમનભાઈ મળતા હતા. ચીમનભાઈએ મારો પરિચય કરાવ્યો. પછી રાજકારણની વાતો ચાલી. ચરણસિંહ, રાજનારાયણ, જ્યૉર્જ ફર્નાન્ડિસ વગેરે વિશે બોલતાં મોરારજીભાઈ નિખાલસ છતાં સાવધ રહેતા જણાયા હતા. મારે તો કશું બોલવાનું હતું જ નહિ, બે મોટા માણસની વાતચીતનો દોર કેવી રીતે ચાલે છે તે જ હું તો જોયા કરતો હતો. સમય થયો એટલે અમે ઊભા થયા. મોરારજીભાઈ રૂમના બારણા સુધી વળાવવા આવ્યા, કા૨ણ કે ચીમનભાઈ અને તેઓ જૂના મિત્ર હતા. ચીમનભાઈએ અગાઉ ‘જન્મભૂમિ’માં, ‘પ્રબુદ્ધ જીવન’માં મોરારજીભાઈની ઘણી ટીકા કરી હતી. પણ મોરારજીભાઈની વાતમાં એનો અણસાર સુધ્ધાં નહોતો. બહાર નીકળીને ચીમનભાઈએ મને કહ્યું, ‘તમે જોયું, મોરારજીભાઈની આંખો કેટલી બધી શાર્પ છે ? એમની આંખોમાં એક પ્રકારનું મૅગ્નેટિઝમ છે એવું મને હંમેશાં લાગ્યા કર્યું છે.’ મોરારજીભાઈની વેધક દૃષ્ટિ એમના વ્યક્તિત્વમાં ઉમેરો ? મોરારજી દેસાઈ ૧૦૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy