SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ધોતિયું ખાદીનું અને હંમેશાં સ્વચ્છ રહેતું. છાતી ઉપર તેઓ વસ્ત્ર સહન કરી શકતા નાંહે. બહાર જવું હોય ત્યારે ખાદીનું સાદું પહેરણ પહેરી લેતા. આજીવન બ્રહ્મચર્યોપાસનાને કારણે પંડિતજીનું શરીર ઓજસ્વી હતું. વૃદ્ધાવસ્થામાં પણ એમના શરી૨ ઉપ૨ ઉંમ૨ જણાતી નહિ. અવસાનના મહિના પહેલાં એમને મળવા ગયો ત્યારે તેઓ પથારીમાં બેઠા થયા હતા અને ટટ્ટાર બેઠા હતા. પંડિતજીના સાન્નિધ્યમાં મને હંમેશાં એમના વાત્સલ્યનો અનુભવ થતો. હું અમદાવાદ એક વર્ષ માટે ગયો હતો અને લોજમાં જમતો હતો. એટલે મારી તબિયત માટે તેઓ હંમેશાં ફિકર કરતા. એક દિવસ સાંજે ગયો ત્યારે મને કહે, “આજે નવરંગપુરા બાજુ ફરવા જઈએ.'' સરિતકુંજથી આશ્રમ રોડ ૫૨ સીધા જ અમે ચાલ્યા, ત્યારે રસ્તે આટલાં મકાનો કે વાહનવ્યવહાર નહિ. (આજે તો હવે ‘સરિતકુંજ’ પણ રહ્યું નથી.) રસ્તો આમ શાંત હતો. અમુક અંતરે ચાલ્યા પછી પંડિતજી કહે, “હવે ડાબી બાજુ વળો.” અમે ડાબી બાજુના રસ્તે ચાલ્યા. પંડિતજી પછી કહે, “આપણે અનાજ-કરિયાણાની દુકાન છે ત્યાં જઈએ.' પંડિતજી જોઈ શકતા નહિ, પણ કેટલું અંતર કપાયું છે અને ક્યાં પહોંચ્યા છીએ તેની તેમની સૂઝ ચોકસાઈભરેલી હતી. એ દુકાને અમે ગયા. એમના કોઈ સગાની એ દુકાન હતી. પંડિતજીએ બદામ, કાજુ, દ્રાક્ષ એમ ચાર-પાંચ પડીકાં બંધાવ્યાં; પછી મારા હાથમાં આપીને કહે, 'રમણભાઈ, આ તમારા માટે બંધાવ્યાં છે. પૈસા આપવાના નથી. આપણી ઘરની જ દુકાન છે.' પંડિતજીએ શા માટે નવરંગપુરા બાજુ ફરવા જવાનું સૂચન કર્યું હતું તે સમજાયું. એમના આગ્રહને છેવટે વશ થવું પડ્યું. એમના વાત્સલ્યના સ્પર્શથી મારું હૃદય આર્દ્રભાવે નમી રહ્યું. પંડિતજીના અવસાનના છએક મહિના પહેલાં મારાં પત્ની સાથે હું મળવા ગયો હતો. વર્ષો જૂનાં મુંબઈનાં સ્મરણો તાજાં કર્યાં. આટલી ઉંમરે પણ એમની સ્મૃતિ સતેજ હતી. અલબત્ત, વાત કરતાં કરતાં ચિત્ત થાકી જતું તો થોડી વાર શાંત રહેતા. અમારાં બંને સંતાનોને યાદ કર્યાં અને ફરી અમદાવાદ જઈએ તો સંતાનોને લઈ એમને ત્યાં અમારે જવું અને ત્યાં જ જમવાનું રાખવું એવો આગ્રહ કર્યો. કહે, “અહીં જમવાની બધી વ્યવસ્થા થઈ શકે એમ છે, માટે એ ચિંતા કરશો નહિ.” પંડિતજીએ અમદાવાદને પોતાનું નિવૃત્તિસ્થાન, નિવાસસ્થાન બનાવ્યું તે પછી અમદાવાદ બહાર ખાસ તેઓ ગયા નથી. ‘સરિતકુંજ’માંથી મુનિ જિનવિજયજીના મકાનમાં, ‘અનેકાંતવિહાર'માં રહેવા ગયા પછીથી તો ઘરની બહાર પણ ખાસ જતા નહિ. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તો અલબત્ત, તબિયતને કારણે પણ તેઓ બહાર પંડિત સુખલાલજી ૯૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy