SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ થયેલું અને આપણા જ્ઞાનભંડારો વિશે પૂ. મહારાજાસાહેબે જે પ્રવચન કર્યું તે સાંભળીને તો મારી મુગ્ધતાનો પાર રહ્યો ન હતો ! મારે પૂજ્ય મહારાજસાહેબના વધુ નિકટના સંપર્કમાં આવવાનું બન્યું ઈ. સ. ૧૯૫૫માં. એ વર્ષે અમદાવાદમાં સેંટ ઝેવિયર્સ કૉલેજની સ્થાપના થઈ. મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજ તરફથી અમદાવાદની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે સેવા આપવા માટે, એક વર્ષ માટે મને મોકલવામાં આવ્યો હતો. સવારની કૉલેજ હતી એટલે સમય પણ ઘણો મળતો હતો. રોજ સાંજે “સરિત કુંજ' બંગલામાં પ્રજ્ઞાચક્ષુ પૂજ્ય પંડિતજી શ્રી સુખલાલજી પાસે હું જતો હતો. એમને એકબે કલાક કંઈક વાંચી સંભળાવતો હતો. તે સમયે અનલ-દમયંતીની કથાનો વિકાસ એ વિષય પર શોધનિબંધ લખવાના કાર્યનો હજુ આરંભ જ મેં કર્યો હતો. પૂજ્ય પંડિતજી સાથે એ વિષયની વાત નીકળતાં એમણે એ માટે પૂજ્ય પુણ્યવિજયજી મહારાજનો સંપર્ક સાધવાનું અને એમનું માર્ગદર્શન મેળવવાનું સૂચન કર્યું. એ પ્રમાણે એક દિવસ બપોરે હું જૈન સોસાયટીના ઉપાશ્રયમાં પૂ. પુણ્યવિજયજી મહારાજ પાસે જઈ ચડ્યો. પૂ. મહારાજસાહેબને મેં વંદન કર્યા. પરંતુ વિધિસર વંદન કરતાં મને આવડતું નહોતું. પૂજ્ય મહારાજસાહેબને મારો કોઈ પરિચય ન હતો, પરંતુ પ્રથમ મુલાકાતે જ એમણે મારી સાથે કોઈ સ્વજનની જેમ ખૂબ ઉમળકાભેર વાત કરી. તેથી હું અત્યંત આનંદિત થઈ ગયો. એમના આવકારે મારું હૃદય જીતી લીધું. પોતાના કામમાંથી સમય કાઢી એમણે મારે માટે પુષ્કળ સમય આપ્યો. અને તે જ વખતે એમણે મારું કંઈ પણ ઠામઠેકાણું લીધા વિના મને મધ્યકાલીન જૈન કૃતિઓની બે હસ્તપ્રતો આપી. એમણે મારામાં મૂકેલા આ અસાધારણ વિશ્વાસને કારણે હું એમના વ્યક્તિત્વથી વધારે આકર્ષાયો. અને પછી તો એમને વંદન કરવાને તથા એમનું માર્ગદર્શન મેળવવાને જૈન સોસાયટીના ઉપાશ્રયે જવાનો મારો રોજનો કાર્યક્રમ બની ગયો. એ દિવસોમાં અમેરિકાથી ડૉ. નોર્મન બ્રાઉનના વિદ્યાર્થી ડૉ. અરનેસ્ટ બેન્ડર કાલભાચાર્ય કથા ઉપર સંશોધન કરવા માટે અમદાવાદમાં આવીને રહ્યા હતા. મહારાજશ્રી અને એમની વચ્ચે ભાંગ્યાતૂટ્યા અંગ્રેજીમાં વ્યવહાર ચાલતો. જરૂર પડે તો તેઓ કોઈકને બોલાવી લેતા. એક દિવસ હું ગયો અને દુભાષિયા તરીકે મારે કામ કરવાનું આવ્યું એથી બંનેને સરળતા રહી. હું ઉપાશ્રયની પાસે જ ત્રણચાર મિનિટના રસ્તે રહેતો હતો. મારે સવારે સાતથી દસ સુધી કૉલેજમાં ભણાવવાનું હતું. એટલે આખો દિવસ સમય મળતો. આથી ડૉ. બેન્ડર અમદાવાદમાં રહ્યા ત્યાં સુધી રોજેરોજ દુભાષિયા તરીકે જવાનું મેં ચાલુ કર્યું. ડૉ. બેન્ડરે ઋષિવર્ધનકૃત પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજ પ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002031
Book TitleCharitra Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy