SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ શિલ્પકર્મ વગેરેમાં રહેલી હિંસાના કારણરૂપ “આરંભથી આ પ્રતિમાધારક વિરક્ત થાય છે. શ્રી બનારસીદાસે લખ્યું છે : જો વિવેક વિધિ આદરે, કરે ન પાપારંભ; સો અષ્ટમ પ્રતિમા ધની, કુગતિ વિજય રણથંભ. નવમી પ્રેષ્યવર્જનપ્રતિમા નવમી પ્રતિમા તે શ્રેષ્યવર્જનપ્રતિમા છે. પ્રેષ્ય એટલે નોકર, દાસ વગેરે બીજાઓ. નવમી પ્રતિમા હોવાથી નવ માસ સુધી તેનું પાલન કરવાનું છે. એમાં બીજાઓ દ્વારા પણ કોઈ આરંભ કરાવવાનો હોતો નથી. આ પ્રતિભાધારકથી નોકરચાકર વગેરે બીજાઓ દ્વારા પણ કશું કરાવાતું નથી અને સ્વયમેવ પણ તેવું પાપારંભનું કાર્ય કરી શકાતું નથી. કહ્યું છે : अवरेणवि आरंभं नवमीए नो करावए । નિવમી પ્રતિમા ધારણ કરનાર શ્રાવકે બીજા પાસે – નોકરો, સ્વજનો કે ઈતરજનો દ્વારા પોતાના આહાર વગેરે માટે આરંભ ન કરાવવો... ___ निक्खित्तभरो पायं, पुत्तदिसु अहव सेसपरिवारे । येवममत्तो अ तहा, सव्वत्थवि परिणवो णवरं ॥ [ નવમી પ્રતિમાવાળો કુટુંબનો, વેપારાદિ કાર્યોનો ભાર પ્રાયઃ પુત્ર વગેરેને અથવા બાકીના પરિવારના સભ્યોને સોંપી દે. તથા પોતે ધન-ધાન્ય વગેરે પરિગ્રહને વિશે અમમત્વવાળો તથા સર્વત્ર પરિણત વિવેક બુદ્ધિવાળો હોવો જોઈએ.] लोगववहारविरओ, बहुसो संवेगभाविअमई अ । पुव्वोइअगुणजुत्तो, णव मासा जाव विहिणा उ॥ (લૌકિક વ્યવહારમાંથી નિવૃત્ત થયેલો તથા સંવેગ–મોક્ષની અભિલાષાનું સેવન કરતો અને એ પ્રમાણે પૂર્વના ગુણો–પ્રતિમાઓથી યુક્ત થયેલો તે નવ મહિના સુધી આરંભનો ત્યાગ કરે. દિગંબર પરંપરામાં શ્રી સમન્તભદ્રાચાર્યે તથા શ્રી બનારસીધ્રસે જણાવ્યા પ્રમાણે નવમી પ્રતિમા તે “પરિગ્રહત્યાગની છે. શ્રી સમન્તભદ્રાચાર્યે લખ્યું છે કે શ્રાવક દસ પ્રકારના બાહ્ય પરિગ્રહમાં મમત્વ છોડીને, આ દુનિયામાં પોતાનું કાંઈ જ નથી એવો ભાવ રાખી, પદ્રવ્ય અને પરપર્યાયોમાં આત્મબુદ્ધિ ન રાખતાં, ભોજન વસ્ત્રાદિમાં સંતોષ રાખી, દીનતા વગર સમતાપૂર્વક રહે તે પરિગ્રહત્યાગપ્રતિમા છે. શ્રી બનારસીદાસે લખ્યું છે: જો દશધા પરિગ્રહ કો ત્યાગી, સુખ સંતોષ સહિત વૈરાગી, સમરસ સંચિત કિંચિત્ ગ્રાહી, સો શ્રાવક ની પ્રતિમાધારી. ૨૮ આચારદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy