SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ સંયમના પ્રકાર જુદી જુદી દૃષ્ટિએ જુદા જુદા ગણવામાં આવે છે. મન, વચન અને કાયાને લક્ષમાં રાખી સંયમના મનઃસંયમ, વચનસંયમ અને કાયસંયમ એમ ત્રણ મુખ્ય પ્રકાર ગણાવાય છે. કેટલાક આ ત્રણ પ્રકારની સાથે ઉપકરણ સંયમને ઉમેરીને સંયમના ચાર પ્રકાર દર્શાવે છે. - સંયમ(અથવા ચારિત્ર)ના “સ્થાનાંગસૂત્રમાં પાંચ પ્રકાર દર્શાવ્યા છે : (૧) સામાયિક સંયમ, (૨) છેદોપદસ્થાનીય સંયમ, (૩) પરિહાર વિશુદ્ધિ સંયમ, (૪) સૂક્ષ્મ સંપરાય સંયમ અને (૫) યથાખ્યાત સંયમ. સંયમના ઉપર્યુક્ત જુદા જુદા પ્રકારોને સમાવી લેવા સાથે ચાર કષાયો, ઇન્દ્રિય અનુસાર જીવના જુદા જુદા ભેદો તથા અજીવ તત્ત્વને લક્ષમાં રાખી સંયમના ૧૭ પ્રકાર પણ બતાવવામાં આવ્યા છે. સંયમ એટલે જીવન જીવવાની કળા. સંયમ એટલે જીવનનો મહામંત્ર, સંયમ એટલે આશ્રવનો નિરોધ. સંયમ એટલે ઇન્દ્રિયો અને ચિત્ત ઉપર વિજય મેળવી આત્મામાં લીન થવાનું અમોઘ સાધન. આચારાંગ નિર્યુક્તિમાં કહ્યું છે કે સંસારનો સાર ધર્મ છે; ધર્મનો સાર જ્ઞાન છે; જ્ઞાનનો સાર સંયમ છે અને સંયમનો સાર નિર્વાણ છે. लोगस्स सारं धम्मो, धम्मं च नाणसारयं बिंति । नाणं संजमसारं, संजमसारं च निव्वाणं ॥ એટલા માટે જ ભગવાન મહાવીરે ઉત્કૃષ્ટ ધર્મમંગલમાં અહિંસા અને તપની સાથે સંયમનો પણ ઉલ્લેખ કર્યો છે : धम्मो मंत्रलमुक्किट्ठ अहिंसा संजमो तवो । સંયમનો મહિમા : ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy