SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ યશોવિજયજી પોતે વ્યાખ્યાન આપવા પધાર્યા. તે વખતે તેમણે સંઘને એક આગેવાન પાસે એક વાટકીમાં પ્રવાહી સિંદૂર તૈયાર કરીને મંગાવ્યું હતું. એમનું વ્યાખ્યાન શરૂ થયું એટલે પંડિતોએ મોટે મોટેથી પ્રશ્નો પૂછવા શરૂ કર્યા. ઉપાધ્યાયજી મહારાજે તેમને મૃદુસ્વરે કહ્યું, “મહાનુભાવો, તમારા પ્રશ્નોથી મને બહુ આનંદ થાય છે, પરંતુ તમે મારી સામે પાસે આવીને બેસો તો પરસ્પર વ્યવસ્થિત રીતે સવાલ-જવાબ કરવાની અનુકૂળતા વધારે રહેશે. તમારા બધા જ પ્રશ્નોના જવાબ હું તમને સંતોષ થાય એ રીતે આપીશ.” એમની પ્રેમભરી વિનંતીથી પંડિતો પાસે આવીને બેઠા. પછી એમણે કહ્યું કે, “આપ બધા ભાષા અને વ્યાકરણના પંડિતો છો, તો આપણે પરસ્પર એ શરત કરીએ. આપણે દરેક પોતાના નીચલા હોઠ ઉપર સિંદૂર લગાડીએ. આપણે બધા પ, ફ, બ, ભ, મ એ ઓષ્ઠસ્થાની વ્યંજન બોલ્યા વગર ચર્ચા કરીએ કે જેથી આપના પાંડિત્યનો ખ્યાલ શ્રોતાઓને પણ આવી શકે. જો કોઈ પણ વ્યક્તિ બોલતી વખતે ઓષ્ઠસ્થાની વ્યંજન બોલશે તો એનો ઉપલો હોઠ નીચેના હોઠને અડવાથી સિંદૂરવાળો થઈ જશે. એટલે તે પરાજિત ગણાશે.” શ્રી યશોવિજયજીની આ શરતથી પંડિતો મૂંઝાઈ ગયા. ઓષ્ઠસ્થાની વ્યંજન વગર વાતચીત કરવાનું તેમને માટે અશક્ય હતું. તેઓએ દલીલ કરી કે “અમે શાસ્ત્રાર્થ કરવા આવ્યા છીએ, ભાષા ઉપરનું પાંડિત્ય બતાવવા નહિ. શ્રી યશોવિજયજી તેઓની મુશ્કેલી સમજી ગયા. એમણે કહ્યું, “ભલે, આપણે શાસ્ત્રાર્થ કરીશું, પરંતુ મેં જે શરત મૂકી છે તે શરત મારે તો પાળવી જોઈશે. તમે બધા એમાંથી મુક્ત છો.” એ સાંભળી પંડિતોએ પોતાના માટે નિરાંત અનુભવી પરંતુ શ્રી યશોવિજયજી એ શરત પાળી શકશે કે કેમ તે વિશે શંકાશીલ હતા. ત્યાર પછી તેઓ એક પછી એક પ્રશ્નો પૂછતા ગયા. શ્રી યશોવિજયજી નીચેના હોઠે સિંદૂર લગાડી તેઓના પ્રશ્નોના જવાબ આપતા ગયા અને પોતે સામેથી પંડિતોને પ્રશ્નો પણ પૂછતા ગયા. પંડિતો શાસ્ત્રચર્ચા કરતા હતા, પરંતુ તેઓનું ધ્યાન તો શ્રી યશોવિજયજીનો ઉપરનો હોઠ સિંદૂરવાળો થાય છે કે નહિ તે જોવા તરફ જ રહ્યા કર્યું. શ્રી યશોવિજયજીની વાણી અસ્મલિત વહેતી હતી, છતાં તેમાં એક પણ ઓષ્ઠસ્થાની વ્યંજન આવતો નહોતો. આ જોઈ પંડિતો છક થઈ હયા અને શાસ્ત્રાર્થ કરવામાં પણ બહુ ફાવી શક્યા નહિ. તેઓએ પોતાની હાર કબૂલ કરી. શ્રી યશોવિજયજીએ તેમને પ્રેમભર્યા શબ્દોમાં કહ્યું, “મહાનુભાવો ! હજુ પણ તમે જ્યારે પણ જૈન દર્શન, બૌદ્ધ દર્શન કે હિંદુ પડ્રદર્શન વિશે કંઈ પણ પ્રશ્ન થાય તો જરૂર મારી પાસે આવજો; પરંતુ આ જુવાન નાના સાધુને વ્યાખ્યાનમાં સતાવવાનો પ્રયત્ન મહેરબાની કરીને કરશો નહિ.” ત્યાર પછી બધા પંડિતો પોતાની મર્યાદા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ૨૯૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy