SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ માટે સૌ અધીરા બની ગયા. શ્રી યશોવિજયજીએ એટલી જ સ્વસ્થાથી અને પૂરી મક્કમતાથી એટલા જ બુલંદ અવાજ સાથે વાદીને સણસણતો જવાબ આપ્યો. પંડિતને લાગ્યું કે ધાર્યું હતું તેના કરતાં આ બહુ ચતુર અને તેજસ્વી યુવાન નીકળ્યો. વાદવિવાદ બરાબર જામ્યો. પંડિત હવે ગભરાવા લાગ્યો. પછી શ્રી યશોવિજયજીના એક પછી એક એવા પ્રશ્નો આવતા ગયા કે વાદી પંડિત તેનો જવાબ ન આપી શક્યો. છેવટે એણે પરાજય સ્વીકાર્યો અને તરત કાશી છોડી નાસી ગયો. આમ શ્રી યશોવિજયજીએ વાદમાં વિજય મેળવીને કાશીના પંડિતોનું, કાશી નગરીનું અને પોતાના વિદાગર ભટ્ટાચાર્યનું માન બચાવી લીધું. આથી કાશીના બધા હિન્દુ પંડિતોએ ભેગા મળીને શ્રી યશોવિજયજીને સત્કારવાપૂર્વક નગરમાં વિજયની શોભાયાત્રા કાઢી અને વાદવિજયનો પ્રસંગ ધામધૂમપૂર્વક વાજતે-ગાજતે ઊજવ્યો. એ પ્રસંગે બધા હિન્દુ પંડિતોએ સર્વાનુમતે ઉલ્લાસપૂર્વક શ્રી યશોવિજયજીને ન્યાયવિશારદ' અને “તાર્કિક શિરોમણિ' એવાં બિરુદો આપ્યાં. એથી શ્રી યશોવિજયજીની વાદી તરીકેની કીર્તિ ચોમેર પ્રસરી ગઈ. આગ્રામાં કાશીમાં અભ્યાસ પૂરો કરી યશોવિજયજી પોતાના ગુરુમહારાજ સાથે આગ્રામાં આવ્યા. ત્યાં તેમણે ચાર વર્ષ રહીને એક ન્યાયાચાર્ય પાસે રહીને તર્કસિદ્ધાન્ત વગેરેનો વિશેષ અભ્યાસ કર્યો. તેમની વિદ્વત્તાથી આકર્ષાઈ આગ્રાના જૈન સંઘે તેમની આગળ સાતસો રૂપિયા સદુપયોગ માટે ભેટ ધર્યા. તેમણે તેનો ઉપયોગ ગ્રંથો લેવા-લખાવવામાં કરાવ્યો અને પછી તે ગ્રંથો વિદ્યાભ્યાસીઓને આપવામાં આવ્યા. - શ્રી યશોવિજયજી ઉત્તર પ્રદેશમાં કાશીથી આગ્રા પધાર્યા ત્યારે આગ્રામાં અને ત્યાર પછી કેટલેક સ્થળે યોજાયેલી વાદસભાઓમાં તેમણે શાસ્ત્રાર્થ કરીને વિજય મેળવ્યો હતો એવો ઉલ્લેખ “સુસવેલી ભાસ'માં થયો છે. એક દંતકથા પ્રમાણે આગ્રામાં દિગમ્બર નિશ્ચયનયવાદી કવિ બનારસીદાસ સાથે જાહેરમાં વાદસભા યોજાઈ હતી. એ વાદસભામાં વિવિધ અપેક્ષાએ નિશ્ચયની જેમ વ્યવહારનયની પણ આવશ્યકતા અને ઉપયોગિતા રહેલી જ છે એ યશોવિજયજીએ સિદ્ધ કરી બતાવ્યું હતું. શ્રી યશોવિજયજીની કેટલીયે દલીલોનો બરાબર જવાબ બનારસીદાસ આપી શક્યા નહોતા. એથી વાદસભાએ શ્રી યશોવિજયજીને વિજયી તરીકે જાહેર કર્યા હતા. શ્રી યશોવિજ્યજીએ ત્યાર પછી એ વિવાદને અનુસરીને અધ્યાત્મ મત ખંડન’ અને ‘અધ્યાત્મ પરીક્ષા' નામના ગ્રંથો લખ્યા હતા એમ મનાય છે. આ બે ગ્રંથોમાં એમણે દિગંબરમતનું અકાઢ્ય દલીલો ઉપાધ્યાય શ્રી યશોવિજયજી - ૨૮૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy