SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યારે તે અધ્યયન સ્વાધ્યાય બને છે. વારંવાર સ્વાધ્યાય કરવાથી જીવને પોતાનામાં રહેલાં સારાસાર તત્ત્વોની પ્રતીતિ થાય છે અને એથી પ્રેરાઈને પોતાના પુરુષાર્થ વડે યોગ્ય માર્ગદર્શન સહિત પોતાના આત્માને નિર્મળ કરવા તરફ તે વળે છે. સમ્યકુશ્રુત સ્વાધ્યાયથી આ રીતે સવિશેષ આત્મિક લાભ થાય છે. સ્વાધ્યાય’ શબ્દની નીચે પ્રમાણે વ્યાખ્યા આપવામાં આવે છે : (૧) સ્વસ્થ8 નીત્મનB ૩થ્યયનમ્ સ્વાધ્યાય8 | પોતાનું એટલે કે આત્માનું અધ્યયન તે સ્વાધ્યાય. (२) अध्ययनमध्यायः सु सुन्दरो ध्यायः सवाध्यायः । સુંદર અધ્યયન અર્થાત્ સત્ શાસ્ત્રનું મર્યાદાપૂર્વક અધ્યયન તે સ્વાધ્યાય. (૩) “સ્થાનાંગ સૂત્રની ટીકામાં લખ્યું છે : शोभनं आ-मर्यादया अध्ययनश्रुतस्याधिकमनुसरणं स्वाध्यायः । વિધિ અનુસાર મર્યાદા સહિત કૃતનું અધ્યયન કે અનુસરણ તે સ્વાધ્યાય. (૪) મુળુ મા-મર્યાદા થી તે ત સ્વાધ્યાય ! સતુ શાસ્ત્રનું મર્યાદા સહિત અધ્યયન કરવું તેનું નામ સ્વાધ્યાય. (५) स्वाध्यायस्तत्त्वज्ञानस्याध्ययनमधअयापनं स्मरणं च। તત્ત્વજ્ઞાન ભણવું, તે ભણાવવું કે તેનું સ્મરણ કરવું તે સ્વાધ્યાય છે. (६) ज्ञानभावनालस्यत्यागः स्वाध्यायः । આળસનો ત્યાગ કરી જ્ઞાનની ભાવના કે આરાધના કરવી એ સ્વાધ્યાય છે. (૭) વારસંગ નિવાર્દ થતં યુ. બાર અંગ જે જિનેશ્વર ભગવાને કહેલાં છે એને પંડિતજન સ્વાધ્યાય કહે જે અધ્યયનથી આત્મસ્વરૂપની ઉપલબ્ધિનો સંભવ હોય એટલે કે આત્મકલ્યાણનો સંભવ હોય એવા શ્રેષ્ઠ ગ્રંથોના ધ્યાન સહિતના અધ્યયનને સ્વાધ્યાય કહેવામાં આવે છે. ગમે તે પ્રકારના ગમે તે ગ્રંથનું વાચન કરવું એ અધ્યયનનો સામાન્ય અર્થ છે, પરંતુ સ્વ એટલે આત્માને ઉપકારક એવા ગ્રંથોનું અધ્યયન જ સ્વાધ્યાય કહેવાય. છાપાં વાંચવાં, સામાજિક વિષયો, આર્થિક વિષયો કે રાજનૈતિક વિષયોની ચર્ચા કરતાં ચોપાનિયાં વાંચવાં, શૃંગારિક વાર્તાઓ વાચવી, પ્રણયપ્રવૃત્તિ કે સામાજિક વિષયોની કવિતાઓ વાંચવી ઈત્યાદિ તમામ વાચન જીવને બહિર્મુખ બનાવનારું છે. જે વાચન જીવને અંતર્મુખ બનાવે અને એનામાં રહેલી અશુદ્ધિ કે મલિનતાને દૂર કરે એવું વાચન તે સ્વાધ્યાય વ્યાવહારિક દૃષ્ટિએ જોઈએ તો સ્વાધ્યાય ચિંતાહરણની જડીબુટ્ટી છે. માણસ ગમે તેટલો નિરાશ થયો હોય, ચિંતામાં આવી પડ્યો હોય ત્યારે જો ૨૫૮ જૈન આચારદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy