SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ आहच्वं सवणं लड़े सद्धा परमदुल्लहा । सोच्चा णेयाउणं मग्गं बहवे परिभस्सई॥ મિનુષ્યપણું પ્રાપ્ત થયા પછી પણ ધર્મનું શ્રવણ અત્યંત દુર્લભ છે, કે જે ધર્મશ્રવણ કરીને જીવ તપ, ક્ષમા અને અહિંસાનો સ્વીકાર કરે છે. કદાચ ધર્મશ્રવણ પ્રાપ્ત થયા પછી તેમાં શ્રદ્ધા થવી અત્યંત દુર્લભ છે. મોક્ષમાર્ગ પ્રતિ લઈ જનારા ધર્મનું શ્રવણ કર્યા પછી ઘણા લોકો એ માર્ગથી ભ્રષ્ટ થઈ જાય છે.. ઉમાસ્વાતિ મહારાજ પ્રશમરતિમાં મનુષ્યજન્મથી માંડીને બોધિપ્રાપ્તિ સુધીની દુર્લભતાઓ અનુક્રમે કેવી કેવી છે તે બતાવતાં કહે છે : मानुष्य कर्म भूम्यार्थदेश कुल कल्पताऽऽयुरूपलब्धौ । श्रद्धाकथक श्रवणेषु सत्स्वपि सुदुर्लभा बोधिः ॥ મનુષ્યપણું, કર્મભૂમિ, આર્યદેશ, સારું કુળ, નીરોગીપણું, દીર્ઘ આયુષ્ય – એ સર્વ પ્રાપ્ત થવા છતાં ધર્મ કહેનાર ઉપર શ્રદ્ધા રાખવી અને બોધિ' (સમકિત) પામવું એ ઘણી દુર્લભ વાત છે.]. | હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રમાં જીવને એકેન્દ્રિયપણામાંથી શરૂ કરીને બોધિપ્રાપ્તિ સુધીની દુર્લભતાઓ કઈ કઈ હોય છે તે સમજાવતાં કહ્યું છે : अकामनिरूिपात् पुण्याज्जन्तो४ प्रजायते। स्थावरत्वात्त्रसत्वं वा तिर्यकत्वं वा कथंचन ॥ मानुष्यमार्यदशश्च जाति: सर्वाक्षपाटवम् । आयुश्च प्राण्यतः कथञ्चित्कर्मलाघवात् ॥ प्राप्तेषु पुण्यत श्रद्धाकथकाश्रवणेष्वपि । तत्त्वनिश्चयरुपं तद्धोधिरत्नं सुदुर्लभम् । विपयोभ्यो विरक्तानां साम्यवासितचेतसाम् । तपशाम्येत कषायाग्निबोधिदीप: समुन्मिषेत्॥ [અકામ નિર્જરરૂપ પુણ્યથી જીવને સ્થાવરપણામાંથી ત્રસપણું અથવા તિર્યચપણું કોઈક રીતે પ્રાપ્ત થાય છે. મનુષ્યપણું, આદિશ, ઉત્તમ જાતિ, સર્વ ઇન્દ્રિયોની પૂર્ણતા, દીર્ઘ આયુષ્ય કંઈક હળવાં કર્મથી પ્રાપ્ત થાય છે. પુણ્યના ઉદયથી શ્રદ્ધા, સદ્ગુરુ, ધર્મશ્રવણ પ્રાપ્ત થવા છતાં તત્ત્વનિશ્ચયરૂપ બોધિરત્નની પ્રાપ્તિ દુર્લભ વિષયોથી વિરક્ત થયેલાં અને સમત્વથી વાસિત થયેલાં ચિત્તવાળા સાધુપુરુષોનો કષાયરૂપી અગ્નિ શાન્ત થઈ જાય છે. તથા બોધિ (સમ્યક્વ)રૂપી દીપક પ્રગટ થાય છે.] શાન્તસુધારસના ગેયાષ્ટકમાં વિનયવિજયજી મહારાજ લખે છે : ૨પર જૈન આચારદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy