SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્વેદની કથા કામભોગના પદાર્થો તરફ અરુચિ પેદ્ય કરી સંસાર પ્રત્યે નિર્વેદ, વિરક્તિ ઉત્પન્ન કરે છે. તેના ચાર પેય પ્રકાર છે: (૧) આ લોકમાં કરેલાં શુભાશુભ કર્મોનું ફળ આ લોકમાં મળે છે એવું નિરૂપતી કથા, (૨) આ લોકમાં કરેલાં શુભાશુભ કર્મોનું ફળ પરલોકમાં મળે છે એવું વર્ણવતી કથા, ૩) પરલોકમાં કરેલાં શુભાશુભ કર્મોનું ફળ આ લાકમાં મળે છે એવું બતાવતી કથા, અને જે પરલોકમાં કરેલાં શુભાશુભ કર્મોનું ફળ પરલોકમાં પણ મળે છે એવું દર્શાવતી કથા. ધર્મકથાનો લાભ બહુ મોટો છે. ગૌતમસ્વામીએ મહાવીર ભગવાનને પૂછ્યું, “હે ભગવંત! ધર્મકથા સાંભળનારને અને સંભળાવનારને શો લાભ થાય છે?’ ભગવાને કહ્યું, “ધર્મકથા સાંભળવાથી કે સંભળાવવાથી જીવ સૌભાગ્યશાળી બને છે અને કર્મની નિર્જરા કરે છે. ધર્મકથા દ્વારા ઉપદેશ આપનારના ઉપદેશનો પ્રભાવ તો જ પડે છે જો એના પોતાના જીવનમાં પોતાનો ઉપદેશ બરાબર ઊતર્યો હોય. તર્કયુક્ત દલીલોથી, નય અને નિક્ષેપથી, પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણથી શાસ્ત્રાર્થ કરવામાં કેટલાક મહાત્માઓ ઘણા નિપુણ હોય છે. એમણે દરેક વિષયનું પૂર્વપક્ષ અને ઉલટપક્ષની દૃષ્ટિએ એવું ચિંતન કર્યું હોય છે કે એમની પાસે કોઈની દલીલ ચાલતી નથી. પ્રામાણિક જિજ્ઞાસુ માણસની પાસે જ્યારે દલીલ ન રહે અને પોતાના અજ્ઞાનની પ્રતીતિ થાય ત્યારે તે ઉત્સાહપૂર્વક સાચા દિલથી બીજાનો મત સ્વીકારવા તૈયાર થાય છે. કેટલાક મહાત્માઓ પાસે વાદ-વિવાદની એવી સરસ લબ્ધિ હોય છે કે અનેક લોકોના મોઢ સમુદાય વચ્ચે કુશળતાપૂર્વક સરસ વાદ કરી શકે છે. પ્રાચીન સમયમાં રાજ્યના આશ્રયે, રાજાની અને વિદ્વાનોની ઉપસ્થિતિમાં આવી વાદસભાઓ યોજવામાં આવતી અને જેનો મત જીતે તેનો પ્રભાવ લોકોમાં વધતો. જે હારે તે વિજેતાનો શિષ્ય બની જાય એવી પરંપરા પણ હતી. મલ્લવાદીસૂરિ, વૃદ્ધવાદીસરિ, વાદિદેવસૂરિ, વાદી વેતાલ શાંતિસૂરિ વગેરે વાદવિદ્યામાં નિપુણ હતા. અને એમણે વાદ દ્વારા ધર્મની સારી પ્રભાવના કરી હતી. નૈમિત્તિક એટલે કાળ ચોઘડિયું, પશુપક્ષીઓના અવાજો, સ્વનો ઈત્યાદિ વિવિધ પ્રકારનાં લક્ષણો દ્વારા ત્રિકાળ સંબંધી લાભાલાભ વિશે આગાહી કરી શકનાર જ્ઞાની મહાત્માઓ. ભદ્રબાહુસ્વામી શ્રુતકેવલી હતા અને મહાન નૈમિત્તિક પણ હતા. નૈમિત્તિક પ્રભાવક પ્રસંગાનુસાર પોતાના નિમિત્ત જ્ઞાનનો ઉપયોગ કરી ધર્મની પ્રભાવના કરે છે. જૈન ધર્મમાં તપશ્ચર્યા ઉપર ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. વળી જૈનોની તપશ્ચર્યા ઘણી આકરી ગણાય છે. ઉપવાસ, આયંબિલ વગેરે કઠિન તપશ્ચર્યાઓ પ્રભાવના છે. ૨૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy