SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ એવી બીજી કોઈ જગ્યા હોય તો તેવા સ્થળ માટે મનમાં ગમા-અણગમાના કે રાગદ્વેષના ભાવ ન ઊઠવા દેવા તેનું નામ નૈષધિક પરીષહ છે. (૧૧) શય્યા (રાજા) પરીષહઃ વિહારમાં કે ચાતુર્માસ દરમિયાન પોતાને બેસવા માટે કે સૂવા માટે મળેલી ગ્યા ઊંચી-નીચી હોય, બહુ તડકો, યઢ કે પવનવાળી જગ્યા હોય તોપણ તે માટે મનમાં જરા પણ ઉદ્વેગ ન આણવો અને ભગવાનની આજ્ઞા પ્રમાણે પ્રસન્ન ચિત્તથી તેનો સ્વીકાર કરી લેવો તે શય્યા પરીષહ છે. (૧૨) આક્રોશ પરીષહઃ સાધુ-ભગવંતોનો વેશ એવો છે કે તે જોઈને જ કૂતરાંઓ ભરે; અદેખા કે અજ્ઞાન માણસો અપમાન કરે; પરધર્મી મનુષ્યો કઠોર વચન કહે; કોઈ તુચ્છકારે; કોઈ નિંદા કરે; કોઈ આળ ચઢાવે કે અપશબ્દો બોલે; કોઈ દંભી', પાખંડી' કહી ગુસ્સો કરે તો તેવા પ્રસંગે પોતે સામે ગુસ્સો કે આક્રોશ ન કરવો, પરંતુ પોતાનાં અશુભ કર્મોનો ઉદય છે એમ સમજીને તે બધું સમભાવથી સહન કરી લેવું જોઈએ. (૧૩) વધ પરીષહઃ કોઈ પણ માણસ વધુ પડતા ક્રોધમાં આવી જઈને માર મારે તોપણ મુનિ મહારાજે શાંત ચિત્તથી તે સહન કરી લેવું જોઈએ. કદાચ કોઈ પોતાનો વધ કરવા આવે તો તે વખતે પણ તેવી વ્યક્તિ પ્રત્યે કશો પણ અશુભ ભાવ ન ચિંતવતાં હું તો અજરામર અખંડિત આત્મા છું' એવી ભાવનાનું સેવન કરવું જોઈએ. (૧૪) યાચના (જયણા) પરીષહર જેમણે સંયમનો માર્ગ ગ્રહણ કરી સાધુ-જીવન સ્વીકાર્યું છે તેમને નિર્વાહ માટે વાચના કરવાના પ્રસંગો તો અનેક વાર આવે છે. કોઈ રાજકુમારે અથવા શ્રીમંત કે કુળવાન ઘરના દીકરા કે દીકરીએ દીક્ષા લીધી હોય અને પછી એમ વિચાર કરે કે હું માગવા માટે કેમ જાઉં? મને તો શરમ આવે છે. તો તે યોગ્ય નથી. તેઓએ એવો ભાવ સેવવો ન જોઈએ. સાધુજીવનમાં ગોચરી, ઔષધ, ઉપકરણ વગેરેની યાચના કરવાના પ્રસંગે અભિમાન, ક્ષોભ કે લજ્જાનો ભાવ આવવા દેવો ન જોઈએ. પોતાનું એ કર્તવ્ય છે એમ સમજી વિનમ્રતાના ભાવથી યાચના કરવી જોઈએ. સાધુ-સાધ્વીઓને માટે કોઈ વટનો પ્રશ્ન હોઈ શકે નહિ. બીજી બાજુ આવશ્યકતા વિના માગવાના સ્વભાવવાળા પણ બની જવું જોઈએ, કારણ કે એથી આત્માનું સત્ત્વ હણાય છે, તૃષ્ણા કે વાસના વધે છે. માગવાનો પોતાનો હક છે એવો ગર્વ રહે છે, સંયમશીલ સંકોચ ચાલ્યો જાય છે અને આત્માની દીનતા પ્રગટ પરીષહ ક ૨૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy