SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ પૃતિમાત્રા (ધર્મની ઈર્ષ્યા આદિને અંગે વૈક્રિય શરીર કરીને ઉપસર્ગ કરે છે તે). ૨.મનુષ્યકૃત (૧) રાગથી અથવા હાસ્યથી, (૨) દ્વેષથી, (૩) વિમર્શથી, (૪) કુશીલથી (ઉ.ત., બ્રહ્મચારીથી પુત્ર થાય તે બળવાન હોય છે એમ ધારીને કોઈ સ્ત્રી ધર્મવાસના વિનાના સાધુને બ્રહ્મચર્યથી ચલિત કરવા અનુકૂળ ઉપસર્ગ કરે તે.) ૩. તિર્યંચકૃત : (૧) ભયથી (મનુષ્યને જોઈને તે મને મારશે એમ ધારીને વાઘ, સિંહ વગેરે સામે ધસે તે), (૨) દ્વેષથી, (૩) આહાર માટે (ભૂખ લાગ્યાથી તેનું નિવા૨ણ કરવા માટે, વાઘ, શિયાળ, ગરુડ વગેરે ઉપસર્ગ કરે તે) અને (૪) પોતાના સંરક્ષણ નિમિત્તે સામો પ્રહાર કરે તે. ૪. આત્મવૃત અથવા આત્મસંવેદનીય (૧) વાતથી (વાયુથી), (૨) પિત્તથી, (૩) કફથી અને (૪) સંનિપાતથી થતા ભયંકર રોગરૂપી ઉપસર્ગ. આત્મસંવેદનીયના આ ચાર પેટાપ્રકાર બીજી રીતે પણ ગણાવવામાં આવે છે, જેમ કે, (૧) નેત્રમાં પડેલ કણું વગેરે ખૂંચવું, (૨) અંગોનું સ્તબ્ધિત થવું, (૩) ખાડા વગેરે ઉપરથી પડી જવું અને (૪) બાહુ વગેરે અંગોનું પરસ્પર અથડાવું. મનુષ્યના જીવનમાં વિવિધ પ્રકારની આપત્તિઓ, જાતજાતના ઉપદ્રવો અચાનક આવી પડે છે. એ વખતે સામાન્ય મનુષ્ય મૂંઝાય છે, કાયર થઈ જાય છે, દેવ-દેવીઓનું શરણું લે છે, બાધા-આખડી માને છે. શ્રદ્ધાળુ માણસો માટે, સંકટોથી બચાવનાર દેવ-દેવીઓની સ્તુતિ પણ લખાઈ છે. ‘નવરત્નમાલા’માં એક સ્તુતિમાં વિવાજ્યા દેવીને ઉદ્બોધન ક૨વામાં આવ્યું છે કે કે હે દેવી ! તું લોકોનું નીચેના ભયો તથા ઉપદ્રવોમાંથી રક્ષણ કર : ૧. અતિવૃષ્ટિ, પાણીના પૂર કે બીજી કોઈ પણ રીતે ઉત્પન્ન થતો જલ ભય,’, ૨. અચાનક આગ ફાટી નીકળવી, દેવ કંટવો કે બીજી કોઈ પણ રીતે ઉત્પન્ન થતો ‘અગ્નિભય’, ૩. સ્થાવર કે જંગમ વિષ ભય’, ૪. જુદી જુદી જાતના સાપો તરફથી થતો વિષધરભય', ૫. ગોચરમાં વિશિષ્ટ સ્થાને પડેલા ગ્રહો તરફથી થતો ‘ગ્રહચારભય’, ૬. જુદાં જુદાં અનેક કારણોથી ઉત્પન્ન થતો ‘રાજભય’, ૭. કફ, પિત્ત અને વાયુનાં જુદાં જુદાં કારણોથી ઉત્પન્ન થતો ‘રોગભય’, ૮. લડાઈ કે યુદ્ધનો ભય, ૯. રાક્ષસનો ભય, ૧૦. શત્રુ-સમૂહનો ભય, ૧૧. મરકી કે અન્ય જીવલેણ રોગ ફાટી નીકળવાથી ઉત્પન્ન થતા ઉપદ્રવનો ભય, ૧૨. ચોર-ડાકુ તથા ધાડપાડુ પ્રતિસેવના * ૨૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy