SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ધૂળ ઉડાડનારથી સૂર્ય ઢંકાતો નથી પરંતુ ઉડાડનારની આંખમાં ધૂળ પડે છે તેવું સંતમહાત્માઓ વિશે અભ્યાખ્યાન કરનારનું થાય છે. કોઈ માણસથી જાણતાં કે અજાણતાં કોઈ અભ્યાખ્યાન થઈ ગયું હોય અને પછી પોતાની ભૂલ સમજાઈ હોય અથવા તેનાં તરત દુષ્પરિણામ ભોગવવાનાં આવ્યાં હોય કે આવવામાં હોય અને પોતે જે દુષ્કૃત્ય કર્યું તે નહોતું કરવું જોઈતું એવી સમજણ આવી હોય તો તેવી વ્યક્તિએ શું કરવું જોઈએ ? એવી વ્યક્તિએ પોતાની ભૂલનો સ્વીકાર વડીલજન, ગુરુ ભગવંત કે તીર્થંકર પરમાત્માની સાક્ષીએ કરવો જોઈએ. તેઓએ પશ્ચાત્તાપપૂર્વક પોતાના પાપની નિંદા અને ગાઁ કરવી જોઈએ. એવા પાપ માટે યોગ્ય પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ અને ફરી એવું પાપ પોતાનાથી ન થઈ જાય તે માટે દૃઢ સંકલ્પપૂર્વક પ્રતિજ્ઞાબદ્ધ થવું જોઈએ. એ માટે માણસે પોતાની દુવૃત્તિઓને ઉપશાન્ત કરવી જોઈએ અને ચિત્તની સતત જાગૃતિપૂર્વક સંયમ તરફ શ્રદ્ધા સાથે વળવું જોઈએ. સતત ધર્મશ્રવણથી, જિનેશ્વર ભગવાનની વાણીનું શ્રવણપરિશીલન કરવાથી આવા દોષોમાંથી બચી શકાય છે અને કરેલાં ભારે કર્મ એથી હળવાં થાય છે. ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજી કહે છે : પરનાં આળ ન છતાં દીજ્બેિ, પીજીએ જો જિનવાણી જી; ઉપશમસસ્તું રે ચિત્તમાં ભીજીએ, કીજીએ સુજ્સ કમાણી જી.’ Jain Education International અભ્યાખ્યાન * ૨૦૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy