SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ અતિચાર બોલીએ છીએ તેમાં આ વ્રત વિશે આ પ્રમાણે બોલીએ છીએ: “આઠમેઅનર્થદડ, વિરમણવ્રતે પાંચ અતિચાર, કંદખે કુકઇએ, કંદર્પ લગે વિટ-ગ્રેષ્ય, હાસ્ય, ખેલ, કુતૂહલ કીધાં. પુરુષ-સ્ત્રીના હાવભાવ રૂ૫ શૃંગાર વિષયરસ વખાણ્યા, રાજકથા, ભક્તકથા, દેશકથા, સ્ત્રીકથા કીધી, પરાઈ તાંત કીધી, તથા પશુન્યપણું કીધું, આર્તરોદ્ર ધ્યાન ધ્યાયાં. ખાંડા, કટાર, કોશ, કુહાડા, રથ, ઉખલ, મુશલ, અગ્નિ, ઘરંટી નિસાહે, ઘરડાં, પ્રમુખ અધિકરણ મેલ દાક્ષિણ્ય લાગે માગ્યાં, આપ્યાં. પાપોપદેશ દીધો, અષ્ટમી, ચતુર્દર્શીએ ખાંડવા દળવા તણા નિયમ ભાંગ્યા. મુખરપણા લગે અસંબદ્ધ વાક્ય બોલ્યા, પ્રમાદાચરણ સેવ્યાં, અંઘોલે, નહાહણે, ધતણે, પગધોઅણે, ખેલ પાણી, તેલ છાંટ્યાં, ઝીલણ ઝીલ્યા, જુગટે રમ્યા, હિંચોળે હિંચ્યા, નાટક પ્રેક્ષણક જોયાં, કણ, કુવસ્તુ, ઢોર લેવરાવ્યાં, કર્કશ વચન બોલ્યા, આક્રોશ કીધા, અબોલા લીધા, કરકડા મોડ્યા, શાપ દીધા, ભેંસ, સાંઢ, હુડ, કૂકડા, શ્વાનાદિક ઝુઝાય, ઝૂઝતા જોયા, ખાદિ લગે અદેખાઈ ચિંતવી, માટી મીઠું, કણ, કપાસિયા, કાજ વિણ ચાંપ્યા, તે ઉપર બેઠા, આલી વનસ્પતિ ખૂંદી, સૂઈ શસ્ત્રાદિક નિપજાવ્યાં, ઘણી નિદ્રા કીધી, રાગદ્વેષ લગે એકને ઋદ્ધિ પરિવાર પછી, એકને મૃત્યુહાનિ વાંછી. આઠમે અનર્થદંડ-વિરમણ વ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં-અજાણતાં હુઓ હોય તે સવિ હુ મન, વચને, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. (બસો વર્ષ પહેલાં લખાયેલા આ અતિચારને હવે આધુનિક રૂપ આપવાની આવશ્યકતા છે. કોઈ સમર્થ આચાર્ય ભગવંત આ કાર્ય કરે તો તે સર્વમાન્ય થાય.) પ્રકાશર્સિહ મહારાજે અનર્થદંડ ઉપર છખો લખ્યો છે. તેમાં કહ્યું છે : વશ રાખજે તારી જીભડી, અનર્થ ડે, કામ ન સિજે આપણું તું શીદને મંડે, જેવી લાગે પાપ, તેથી તું અળગો રહેજે, ધર્મધ્યાનની વાતમાં, તું વળગ્યો રહેજે. પોતાથી પળાતું નથી ને પારકું ત્યાં ક્યાં કહે પ્રકાશસિંહ વાણી વદે, તારે ક્યાં તું સહે. એક બાજુ દિપરિણામ વ્રત અને દેશાવગતિક વ્રત હોય અને બીજી બાજુ ભોગોપભોગ પરિણામ વ્રત હોય તો પછી વચ્ચે આ અનર્થદંડ-વિરમણ વ્રતની જરૂર શી એમ પ્રશ્ર કોઈને થાય. એનો ઉત્તર શાસ્ત્રકારો એમ આપે છે કે ભોગપભોગ પરિમાણમાં પોતાની ઈચ્છાનુસાર ભોગોપભોગનું પ્રમાણ કરવામાં આવે છે અને સાવદ્ય પ્રવૃત્તિઓનો પરિહાર કરવામાં આવે છે. પરંતુ અનર્થદંડમાં આવશ્યક – અનાવશ્યકનો વિચાર થાય છે અને જે અનાવશ્યક હોય તેવો સમાવેશ અનર્થદંડમાં અનર્થદડવિરમણ ૧૯૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy