SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ અને પ્રાકૃતિક જીવન જીવે છે તેઓને સામાજિક દૃષ્ટિએ કોઈ સરકારી કરવેરો - દંડ ભરવાનો હોતો નથી. એટલે સામાજિક દૃષ્ટિએ તેઓને અર્થદંડ પણ હોતો નથી. જેઓ શહેરોમાં વસે છે અને પાણી, વીજળી, રસ્તા, વાહનવ્યવહાર ઇત્યાદિ સગવડો ભોગવે છે તેઓને સીધી કે આડકતરી રીતે કરવેરો દંડ ભરવાનો રહે છે. આવી જ રીતે જે સંયમી માણસો પાંચ મહાવ્રત ધારણ કરી સાધુજીવન જીવે છે અને જેઓને જીવન જીવવા માટે પોતાનું ઘર, માલમિલકત, કુટુંબપરિવાર કે આરંભ – સમારંભની કોઈ આવશ્યકતા હોતી નથી તેઓને અનર્થદંડ જેવું કશું હોતું નથી. ગૃહસ્થ શ્રાવકોને અર્થદંડ અને અનર્થદંડ બંને હોય છે. એમને માટે અર્થદંડ અનિવાર્ય છે, કારણ કે એ વિના જીવન નિર્વાહ શક્ય નથી, પરંતુ તેઓ પોતાના વ્યક્તિગત જીવનમાં અનર્થદંડને નિવારી શકે છે, એનું વિરમણ કરી શકે છે. એટલે એને વ્રતનું સ્વરૂપ અપાયું છે. સાધુ મહાત્માઓનાં પાંચ મહાવ્રત હોય છે : (૧) અહિંસા, (૨) સત્ય, (૩) અસ્તેય, (૪) બ્રહ્મચર્ય અને (૫) અપરિગ્રહ. આ પાંચ વ્રત ઉપરાંત પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન તેઓએ કરવાનું હોય છે. સાધુ મહાત્માનાં જે પાંચ મહાવ્રત છે તે વ્રતો શ્રાવકે અમુક અંશે પાળવાનાં હોય છે. એટલે એને પાંચ ‘અણુવ્રત’ કહે છે. તદુપરાંત શ્રાવકે ત્રણ ગુણ વ્રત અને ચાર શિક્ષા વ્રત એમ બાર વ્રતનું પાલન કરવાનું હોય છે. ત્રણ ગુણવ્રતમાં દિક્પરિમાણ વ્રત, ભોગોપભોગ પરિમાણ વ્રત, અને અનર્થદંડ-વિરમણ વ્રત છે. ગુણવ્રત એટલે જીવનમાં ગુણનો ઉમેરો કરે એવું વ્રત. અણુવ્રતોના પાલનમાં ગુણની વૃદ્ધિ થાય છે માટે એ ગુણવ્રત કહેવાય છે. અનર્થદંડ-વિરમણથી અન્ય વ્રતોના પાલનમાં પણ ગુણની વૃદ્ધિ થાય છે. સામાયિક, દેશાવગાસિક, પૌષધ અને અતિથિસંવિભાગ એ ચાર શિક્ષા વ્રતો છે. શિક્ષા શબ્દ અહીં તાલીમના, શિક્ષણના અર્થમાં છે. માણસના પોતાના શરીરના નિર્વાહ માટે, સ્વજનોના કુટુંબ પરિવારના નિર્વાહ અર્થે ઘર, દુકાન, ઑફિસ, મીન, મકાન, ધન, ધન્ય, નોકર-ચાકર, રક્ષક, ગાય, ભેંસ, બળદ વગેરે અથવા મોટરગાડી વગેરે આધુનિક વાહનવ્યવહાર, ટેલિફોન ઇત્યાદિ માટે તથા આજીવિકા માટે કે જીવનનિર્વાહ માટે યોગ્ય મર્યાદામાં જે પાપકર્મ બાંધે તે અર્થદંડ કહેવાય અને નિષ્પ્રયોજન પાપ કરે તે અનર્થદંડ કહેવાય. આવાં પાપ કર્મોથી પોતાનો આત્મા દંડાય અને બીજા જીવો પણ દંડાય, દુ:ખી થાય. આવાં નિષ્પ્રયોજન પાપકર્મોનો ત્યાગ કરવો તે અનર્થદંડ-વિરમણ નામનું ત્રીજું ગુણવ્રત છે. શ્રાવકનાં બાર વ્રતના ક્રમમાં તે આઠમું વ્રત છે. અનર્થદંડ-વિરમણ * ૧૮૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy