SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવનાં દ્વાર સેવે. પારકાના ગુણ સહન ન કરી શકે, રસગારવ, ઋદ્ધિારવ અને શાતાગારવ એ ત્રણ ગારવનું સેવન કરે, સ્ત્રી, ઘર વગેરેને લગતા પોતાના દોષો ચલાવી લે કે તેનો બચાવ કરે તે સંક્લિષ્ટ સંસક્ત કહેવાય છે. જે સાધુ પ્રસંગાનુસાર બદલાયા કરે એટલે કે સંવિજ્ઞ સાધુઓ પાસે હોય ત્યારે સંવિજ્ઞ ગુણ – આચારવાળો થવા ઈચ્છે અને પાર્થસ્થાદિ સાથે હોય ત્યારે તેવા અનાચાર કરવા લાગે તે અસંક્લિષ્ટ સંસક્ત કહેવાય છે. જે સાધુ ગુરુમહારાજની, ધર્માચાર્યોની અવહેલના કર્યા કરે, સાંસારિક કાર્યોમાં રસ લે, શાસ્ત્રગ્રંથોનો ઇરાદાપૂર્વક અનર્થ કરી પોતાની ઇચ્છાનુસાર વર્તન કરે, સ્વાર્થ સધાય તેવાં વચનો બોલે, ઉસૂત્ર (શાસ્ત્રવિરુદ્ધ) પ્રરૂપણા કરે, વારંવાર ક્રોધ-આક્રોશ કરે, ત્રણ ગારવયુક્ત એશઆરામનું જીવન વિતાવવામાં પ્રવૃત્ત રહે તેને યથા છંદ કહેવામાં આવે છે. આવા સાધુઓ અનેક પ્રકારના જોવા મળે છે. તેઓ પોતે સંસારમાં ડૂબે છે અને તેમનો આશ્રય લેનારને પણ ડુબાડે છે. આપણા પૂર્વાચાર્યોએ પાર્થ, અવસગ્ન, કુશીલ, સંસક્ત અને યથા છંદ સાધુને અવંદનીય કહ્યા છે. “આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે એમને વંદન કરવાથી કર્મ નિર્જરા થતી નથી, પરંતુ કાયક્લેશ અને કર્મબંધ થાય છે. કોઈ સાધુ વંદનીય છે કે અવંદનીય એની પહેલેથી ખબર તો ન જ પડે. એટલે સાધુનો વેશ ધરાવનાર સર્વ વંદનને યોગ્ય જ છે એમ સમજી પ્રથમ તો વંદન કરવું જોઈએ; પરંતુ પરિચયે જો જાય કે સાધુ પાસત્યાદિ છે તો તેવા સાધુઓ વંદનને પાત્ર નથી. અવંદનીય છે એમ સમજવું જોઈએ. દુનિયાના બધા જ ધર્મોમાં શીલ ઉપર ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. સાધુચરિત જીવ પતિત ન થાય તે માટે શાસ્ત્રકારોએ સાવધાનીની કેટલીક બધી વાડ દર્શાવી છે! જૈનધર્મ તો શીલના અઢાર હજાર અંગો ૩ યોગ x ૩ કરણ ૪૪ સંજ્ઞા x ૫ ઇન્દ્રિયો x ૧૦ પૃથ્વીકાયાદિ * ૧૦ યતિધર્મ = ૧૮000) દર્શાવ્યા છે. “સકલતીર્થમાં કવિ કહે છે : અઢી પિમાં જે અશુગાર, આહાર સહસ શીલાંગના ધાર; પંચ મહાવ્રત સમિતિ સાર; પાલે પળાવે પચાચા, બાહ્ય અભ્યતર તપ ઉમાલ. તે મુનિ વંદું ગુણમહિમાલ.' વર્તમાન સમયમાં સુખસગવડ માટે નવી નવી વૈજ્ઞાનિક શોધો થતી જવાને કારણે શીલને વિઘાતક એવાં પરિબળો દુનિયાભરમાં વધવા લાગ્યાં છે. સુખશીલ થવાનાં ઉપકરણો વધતાં જાય છે. વિજ્ઞાન દ્વારા ભૌતિક સાધોનોનો પ્રભાવ વધતો શીલવિઘાતક પરિબળો : ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy