SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ શોભે છે. આપણા દાર્શનિક પૂર્વાચાર્યોએ માનવમનનાં અતલ ઊંડાણોને માપીને, નબળાઈઓનો ગંભીર વિચાર કરીને એવી વિગતવાર સમાચરી દર્શાવી છે કે જેથી કોઈ સાધુને પતિત થવું હોય તોપણ ઠીક ઠીક વાર લાગે. આપણા પૂર્વસૂરિઓની સૂક્ષ્મ અવલોકનશક્તિની, પૃથક્કરણશક્તિની, ક્રાંત દૃષ્ટિની એ પ્રતીતિ કરાવે છે. જૈન શાસ્ત્રગ્રંથોમાં પાંચ પ્રકારના સાધુઓને અવંદનીય ગણવામાં આવ્યા છે. દેવેન્દ્રસૂરિકત “ગુરુવંદન ભાષ્યમાં કહ્યું છે : ___ पासत्यो ओसन्नो कुलील संसत्तओ अहाछंदो। પુન-પુજા-તિહુ-વિહા વંગિન્ગા બિમિમિ ! આ પાંચ પ્રકાર તે (૧) પાર્શ્વસ્થ, (૨) અવસાન, (૩) કુશીલ, ઈ સંસક્ત અને (૫) યથાછંદ. આ પાંચેના પેયપ્રકાર અનુક્રમે બે, બે, ત્રણ, બે અને અનેક છે. આ પાંચેને જૈનદર્શનમાં અવંદનીય કહ્યા છે. સત્ય અથવા “સત્ય” શબ્દ સંસ્કૃત “ઘર્થસ્થ’ ઉપરથી આવ્યો છે. ' એટલે રહેવું. પાર્થ એટલે બાજુ. જેઓ આત્મામાં નહિ પણ બહાર કે બાજુમાં રહે છે, જેઓ ધર્મમાં નહિ પરંતુ ધર્મની બહાર રહે છે, જેઓ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી રત્નત્રયીમાં નહિ પણ તેનાથી દૂર રહે છે તેને “પાર્થસ્થ’ કહેવામાં આવે છે. પાસસ્થા’ શબ્દ “પત્થ’ ઉપરથી પણ વ્યુત્પન્ન કરવામાં આવે છે. પાશ” એટલે ફાંસો અથવા જાળ. જેઓ કર્મબંધનના હેતુરૂપ મોહમાયાની કે મિથ્યાત્વની જાળમાં લપેટાઈ ગયા છે તેને પણ ‘પાસત્ય' કહેવામાં આવે છે. પાર્થસ્થ બે પ્રકારના છેઃ (૧) સર્વ પાર્શ્વસ્થ અને (૨) દેશ પાર્શ્વસ્થ. જે સાધુ સન્ દર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યગુચારિત્ર્યથી સર્વથા રહિત હોય અને માત્ર વેશધારી જ સાધુ હોય અને ગૃહસ્થની જેમ વર્તન-વ્યવહાર કર્યા કરે તે “સર્વ પાર્થસ્થ'. જે સાધુઓ જે મોટા અધિકારીઓના કે શ્રીમંતોના ઘેરથી આહાર મેળવે અથવા મંગાવે અથવા પોતે અગાઉથી નક્કી કરેલાં ઘરોમાંથી નક્કી કરેલો આહાર મેળવે, અથવા ગૃહસ્થોના જમણવાર વગેરેમાંથી સ્વાદિષ્ટ આહાર મેળવવાની લાલસા રાખે, ગૃહસ્થોનો ગર્વ કે ઘમંડ કર્યા કરે, તે સાધુને દેશ પાર્થસ્થ’ કહેવામાં આવે છે. દેશ પાર્શ્વસ્થ' સાધુઓ શય્યાતર પિંડ જેના મકાનમાં વાસ કર્યો હોય તેનો આહાર), અભ્યાહૂત પિંડ (સામેથી લાવેલો આહાર), રાજપિંડ રાજાનો અથવા રાજાના અમુક અધિકારીઓના ઘરનો આહાર), નિત્યપિંડ (‘તમે જરૂર પધારજો' એવી ગૃહસ્થ પહેલેથી નિમંત્રણા કરી રાખેલા કોઈ એક જ ઘરેથી નિત્ય આહાર લેવો) અને અગ્રપિંડ (અગ્ર એટલે ઉપરનો. ગૃહસ્થ પોતાને માટે આહાર કાઢ્યા પહેલાં જ ગોચરી વહોરવી તે) વિના કારણ ભોગવતા હોય છે. વળી તેઓ શીલવિઘાતક પરિબળો એક ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy