SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મબંધનમાં શુભ કર્મ બાંધી કોઈ જીવ પુણ્યોપાર્જન કરે તો તેને પ્રશસ્ત ચોરી’ પણ કહી શકાય નહિ કે અશુભ કર્મ બાંધી પાપોપાર્જન કરે તો તે અપ્રશસ્ત ચોરી’ કહી શકાય નહિ, કારણ કે તે બંનેમાં દેવા-લેવાની ક્રિયાનો સંભવ હોતો નથી. કોઈના ઘરમાં એની રજા વિના પ્રવેશવું એમાં પણ અદત્તાદાન વિરમણ વ્રતનો ભંગ થાય છે. સાધુઓએ તો આ વ્રતનું વધુ સૂક્ષ્મ દૃષ્ટિથી પાલન કરવાનું હોય છે. કોઈના ઘરનું બારણું ઉઘાડું હોય તોપણ સાધુએ બારથી ધર્મલાભ’ કે એવા શબ્દો બોલી, પોતાની જાણ કર્યા પછી જ, ગૃહસ્થ પુરુષ કે સ્ત્રી બોલાવે તે પછી જ ઘરમાં પ્રવેશવું જોઈએ. જો પોતાની મેળે દરવાજો ખોલીને દાખલ થાય અથવા ખુલ્લા દરવાજામાં સીધેસીધા દાખલ થઈ જાય તો અસ્તેય વ્રતનો ભંગ થાય છે. અહીં કોઈક પ્રશ્ન કરે કે કેટલાંક નગરોને કોટ અને તેનો દરવાજો હોય છે અથવા નગરમાં પોળ કે શેરીના દરવાજા હોય છે. તો એ દરવાજામાંથી સાધુ જાય તો અસ્તેય વ્રતનો ભંગ થાય કે નહિ ? એનો ઉત્તર એ છે કે એ દરવાજા સાર્વજનિક હોય છે. ત્યાં કોઈ અટકાવનાર કે રજા આપના૨ હોતું નથી. એટલે એવા સાર્વજનિક દરવાજામાં દાખલ થવામાં સાધુને કોઈ દોષ લાગતો નથી. આમ, અદત્તાદાન વિરમણ વ્રતની ઘણી સૂક્ષ્મ મીમાંસા જૈન દર્શનમાં કરવામાં આવી નથી. જેઓ આ વ્રતનું સ્થૂલ અને સૂક્ષ્મ એમ ઉભય દૃષ્ટિએ સરસ પાલન કરે છે તેને વ્યાવહારિક જગતમાં તો યશ, અનુકૂળતા, નિર્ભયતા ઇત્યાદિ સાંપડે છે, પણ સાથે સાથે તેવા મહાત્માઓના જીવનમાં લબ્ધિ સિદ્ધિ પણ પ્રગટ થાય છે. જોકે તેઓ તેના તરફ આકર્ષાતા નથી. આવા મહર્ષિઓનો એક શબ્દ નીકળતાં ભક્તો ધનના ઢગલા કરવા તૈયાર થઈ જાય છે. પાતંજલ યોગસૂત્રમાં કહ્યું છે : रत्नोपस्थानम् । અસ્તેય વ્રતની જેના જીવનમાં પ્રતિષ્ઠા થાય છે તે વ્યક્તિને સર્વ રત્નોનાં સ્થાન દેખાય છે. અર્થાત્ જેઓએ અચૌર્ય વ્રતની ઉત્તમ સાધના કરી હોય છે તેઓને લક્ષ્મી સામેથી આવીને મળે છે. अस्तेय प्रतिष्ठायां सर्व ચોરી નાની હોય કે મોટી, એ પાપ છે એ નિશ્ચિત છે, જેઓ સદાચારી જીવન જીવવા ઇચ્છતા હોય તેઓએ તો આવી નાની કે મોટી ચોરીથી દૂર જ રહેવું રહ્યું. પરંતુ એથી આગળ વધીને સાધકે તો લોભ, લાલચ, આસક્તિ ઇત્યાદિ ઉ૫ર સંયમ મેળવી અદત્તાદાનથી વિરમવું જોઈએ. તે માટે સંતોષ એ ઉત્તમ માર્ગ છે. જ્યાં સુધી ચિત્તમાં આશા, અપેક્ષા, સ્પૃહા, ઇચ્છા, તૃષ્ણા વગેરે ઉદ્ભવે છે ત્યાં સુધી અસંતોષ રહ્યા કરે છે. ચિત્તમાં સ્પૃહા ઉદ્ભવે તો તેને વાળી લેવી જોઈએ, પરંતુ આત્મશક્તિને Jain Education International અદત્તાદાન વિરમણ * ૧૭૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy