SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ આદિ કંઈ પણ કરવું કલ્પતું નથી.] દશવૈકાલિકસૂત્રની વૃત્તિમાં શ્રી હરિભદ્રસૂરિએ કહ્યું છે: ईर्यापथ-प्रतिक्रमणमकृत्वा नान्यत् किमपि कुर्यात् तदशुद्ध तापते । ઈયપથ પ્રતિક્રમણ કર્યા વિના અન્ય કાંઈ પણ કરવું નહિ, કારણ કે તે અશુદ્ધ થવાનો સંભવ છે.) આમ, ઈરિયાવહીનો મહિમા જૈન ધર્મમાં ઘણો મોટો છે. વિશ્વમાં પર્યાવરણની સમતુલા જાળવવા માટે પણ ઈરિયાવહીની આવશ્યકતા છે. ઈરિયાવહી જો પૂરા ભાવપૂર્વક કરવામાં આવે તો તે કેવળજ્ઞાન અને મોક્ષગતિ અપાવી શકે છે. ભગવાન મહાવીર સ્વામીના કાળમાં અઈમુત્તા, ઢઢુંઢર, વમ્બલિ વગેરે મુનિઓએ ઈરિયાવહીની ઉત્તમ આરાધના કર્યાના ઉલ્લેખો સાંપડે છે. વર્તમાનકાળ દુઃષમ છે અને એવું સંઘયણ બળ રહ્યું નથી, તોપણ જયણાપૂર્વકની જાગૃતિ સાથે આ આરાધનાથી આત્મશુદ્ધિના પંથે વધુ આગળ પ્રયાણ તો અવશ્ય થઈ શકે છે. વળી આ વિરાધના ત્રણ કરણથી થાય – કરવું, કરાવવું અને અનુમોદવું, એટલે ૩૩૭૮૦૩=૧૦૧૩૪૦ ભેદ થાય. વળી તે ત્રણ કાળની અપેક્ષાએ – ભૂત, વર્તમાન અને ભવિષ્યની અપેક્ષાએ થાય. એટલે ૧૦૧૩૪૩૩૦૪૦૨૦ ભેદે થાય. આટલી બધી વિરાધના માટે જે મિચ્છા મિ દુક્કડ કરવાનું છે તે છની સાક્ષીએ કરવાનું છે, એટલે કે અરિહંત ભગવંતની સાક્ષીએ, સિદ્ધ ભગવંત, સાધુ ભગવંત, દેવ, ગુરુ અને પોતાના આત્માની સાક્ષીએ ક્ષમા માંગવાની છે. આમ ૩૦૪૦૨૬= ૧૮,૨૪૧૨૦ ભેદે ક્ષમા માંગવાની છે. આમ, ઈરિયાવહી સૂત્ર બોલવા દ્વારા સંસારના સર્વ જીવોની ૧૮૨૪૧૨૦ ભેદે ક્ષમા માગવામાં આવે છે. કોઈકને પ્રશ્ન થાય કે આટલું બધું ઝણું કરવાની જરૂર શી ? જરૂર એટલા માટે કે કોઈ પણ અપેક્ષાએ કોઈ પણ જીવની ક્ષમા માગવાની રહી ન જાય. કોઈ પણ અપેક્ષાએ રહી જાય તો એટલી અપૂર્ણતા રહે, ત્રુટિ ગણાય. કાર્ય સંપૂર્ણપણે સફળ ન ગણાય. કોઈકને પ્રશ્ન થાય કે ઈરિયાવહી સૂત્ર બોલતાં અડધી મિનિટ પણ થતી નથી. ધીમે ધીમે બોલીએ તો બે-ચાર મિનિટ થાય. એટલા અલ્પકાળમાં ૧૮૨૪૧૨૦ ભેદ પૂરા કેવી રીતે થાય ? એકએક ભેદ જુદો ગણતા જઈએ તો દિવસો નીકળી જાય. એનું સમાધાન એ છે કે અહીં સ્થળ છૂક ગણના કરતાં એની સમજ અને એ માટેનો નિર્મળ ભાવ મહત્ત્વનાં છે. અંતર જાગૃત હોય તો આ બધા ભેદો ઉપરનો ઉપયોગ ક્ષણવારમાં ફરી વળે છે. ભેદોનું વિભાજન તો સાચી ઊંડી સમજણ માટે, દષ્ટિની વિશાળતા માટે, અને ક્રિયાની પરિપૂર્ણતા માટે છે. ઈરિયાવહી ઐયપથિક) ક ૧૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy