SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ (૬) પરિયાવિયા – એટલે પરિતાપિતા અર્થાત્ પરિતાપ ઉપજાવ્યો હોય, દુઃખ આપ્યું હોય, કષ્ટ ક્લેશ કરાવ્યો હોય, હેરાનપરેશાન કર્યાં હોય. - (૭) કિલામિયા – એટલે ક્લામિત કર્યાં હોય, ખેદ પમાડ્યો હોય, અધમૂઆ કે મૃતઃપ્રાય કરી નાખ્યા હોય. (૮) ઉદ્દતિયા એટલે ઉપદ્રવિત અથવા અવદ્રાવિત કર્યાં હોય અર્થાત્ ગભરાવ્યા હોય, થરથરાવ્યા હોય, ત્રાસ આપ્યો હોય, બીક બતાવી હોય. (૯) ઠાણાઓ ઠાણું સંકામિયા – એટલે સ્થાનાત્ સ્થાનં સંક્રામિતા – અર્થાત્ એક સ્થાનેથી બીજે સ્થાને સંક્રમિત કર્યાં હોય, મૂક્યા કે ફેરવ્યા હોય અથવા પોતાના સ્થાનેથી વિખૂટા પાડી દીધા હોય. (૧૦) જીવિયાઓ વવરોવિયા – જીવિતથી વ્યપોપિતિ કર્યા હોય એટલે કે છૂટા કર્યા હોય. અર્થાત્ જીવથી માર્યા હોય, મારી નાખ્યા હોય. ઈરિયાવહી સૂત્ર (૧) ઇચ્છામિ (૨) પડિમિઉ (૩) ઈરિયા – વહિયાએ અને (૪) વિરાહણાએ આ ચાર પદોના વિસ્તારરૂપે છે. સૂત્રમાં મુખ્ય ચાર વિભાગ પડે છે અને સૂત્રમાં સાત સંપદાઓ છે. ઈરિયાવહી સૂત્ર ઇચ્છાકારેણ' શબ્દથી શરૂ થાય છે. ત્યાર પછી પણ એમાં ઇચ્છું” અને ઇચ્છામિ' શબ્દો આવે છે. આ બતાવે છે કે ઈરિયાવહી”માં ઇચ્છા'ના પ્રકારની સામાચારી છે. જૈન ધર્મવિધિઓ કે આચારો વિશે શાસ્ત્રોમાં દસ પ્રકારની સામાચારી આ પ્રમાણે બતાવવામાં આવી છેઃ (૧) ઇચ્છા, (૨) મિચ્છા, (૩) આવિસ્સયા, (૪) નીસિહિઆ, (૫) છંદણા, (૬) તત્તિ, (૭) પૃચ્છા, (૮) પ્રતિપૃચ્છા, (૯) ઉપસંપદા અને (૧૦) નિમંત્રણા. ઈરિયાવહીમાં ‘ઇચ્છા’ સમાચારી છે. એટલે કે શિષ્યની ઇચ્છા હોય તો ગુરુ આજ્ઞા આપે અને આજ્ઞા આપવાની ગુરુની ઇચ્છા હોય તો તેઓ આજ્ઞા આપે. આ સામાચારીમાં કોઈ આગ્રહ હોતો નથી. ઈરિયાવહી’ એ ઇચ્છા'ના પ્રકારની સામાચારી હોવાથી શિષ્ય સ્વેચ્છાએ તે માટે ગુરુની આજ્ઞા માગે છે. આમ, ઈરિયાવહી એટલે સંક્ષિપ્ત અથવા લઘુ પ્રતિક્રમણ. ઈરિયાવહી પ્રતિક્રમણનનો એટલે વિધિ આલોચના-પ્રતિક્રમણનો જઘન્યમાં જઘન્ય વિધિ છે, કારણ કે એમાં સામાન્ય નિમિત્તોથી થયેલા નાના દોષોનું તરત પ્રતિક્રમણ કરવાનું હોય છે. (મોટા દોષોની શુદ્ધિ માટે મોટા પ્રતિક્રમણની જુદી જુદી વિધિઓ છે.) આ વિધિમાં તરત લાગેલાં તાજાં કર્મોને ખંખેરી નાખવાનાં હોય છે. મન, વચન અને કાયાના વિવિધ યોગોથી ભારે અને હળવાં કર્મો બંધાય છે ઃ ક્યારેક મોટા કષાયો થાય છે. પરંતુ સામાન્ય ગમનાગમનમાં મુખ્યત્વે હિંસાનો દોષ લાગે ૧૪૬ * જૈન આચારદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy