SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ દૃષ્ટિઓને રામાધિ કરાવવા માટે દેવ-દેવીઓની આરાધના નિમિત્તે. આમ, બાર હેતુઓ માટે “કાઉસગ્ગ’ બતાવવામાં આવ્યો છે. કાયોત્સર્ગમાં દેહની મમતાના ત્યાગ ઉપર ભાર મુકાયો છે. દેહને સ્થિર કરી દેવામાં આવ્યો હોય પરંતુ સ્કૂલ દેહ પ્રત્યે પ્રબળ આસક્તિ રહ્યા કરતી હોય તો તે કાયોત્સર્ગ માત્ર સ્થૂલ બની રહે છે. જ્યાં સુધી શરીર પ્રત્યેની આસક્તિ છે ત્યાં સુધી આધ્યાત્મિક સાધના અધૂરી રહે છે. સાધનામાં શરીરની મમતા બાધારૂપ બને છે. સાધક પોતાના દેહને સ્નાનવિલેપન ઈત્યાદિ દ્વારા સુશોભિત, વસ્ત્ર-અલંકાર ઇત્યાદિ દ્વારા સુસજ્જ અને મંડિત કરવામાં રચ્યોપચ્યો રહે છે ત્યાં સુધી એણે કરેલો કાઉસગ સારો કાઉસગ્ગ બનતો નથી, કારણ કે દેહરાગનો ત્યાગ તે સાચા કાઉસગ્નનું પ્રથમ લક્ષણ છે. શરીરની મમતા ઓછી થવા લાગે અથવા છૂટે તો માણસ બહિર્મુખ મટી અંતર્મુખ બની શકે છે. દેહ અને આત્માની ભિન્નતાનો અનુભવ કરવા માટે, દેહાધ્યાસ છોડવા માટે, આત્મામાં લીન બનવા માટે કાયોત્સર્ગ મોટામાં મોટું સાધન છે. કાયોત્સર્ગમાં શરીરની નિશ્ચલતા પર્વત જેવી અચલ હોવી જોઈએ. દેહાધ્યાસ ઓછો થાય ત્યારે કાઉસગ્નમાં સ્થિર થયેલા માણસને ડાંસ – મચ્છર કરડે તોપણ માણસ નિશ્ચલ રહી શકે છે. ઊંચી કોટિએ પહોંચેલા મહાત્માઓ ઘોર ઉપસર્ગો થાય તોપણ કાઉસગ્ગ – ધ્યાનમાંથી ચલિત થતા નથી. કાઉસગ્ગ – ધ્યાનમાં રહેલા સાધકને કોઈ ચંદનનું વિલેપન કરે તોપણ પ્રસન્નતા અનુભવે અને કોઈ તાડનછેદન કરે તો તે આર્ત-રૌદ્ર ધ્યાન ન ધરે. “આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે મનુષ્ય, તિર્યંચ કે દેવ દ્વારા ઉપસર્ગ થાય તોપણ જે સમતાપૂર્વક સહન કરે છે તેને કાઉસગ્ગ વિશુદ્ધ હોય છે. तिविहाणुवसग्गाणं दिव्वाणं माणुसाण तिरियाणं । सम्माहयासणाए काउसग्गो हवइ सुद्धो॥ आवश्यक नियुक्ति - १५४९ | જિનદાસગણિએ કાઉસગ્નના બે મુખ્ય પ્રકાર બતાવ્યા છે: દ્રવ્ય- કાઉસગ્ગ અને ભાવ-કાઉસગ્ગ. દ્રવ્ય-કાઉસગ્નમાં શરીરની ચંચળતા અને મમતા દૂર કરીને જિનમુદ્રામાં સ્થિર થવાનું હોય છે. સાધક જ્યારે એવી રીતે દ્રવ્ય-કાઉસગ્નમાં સ્થિર થઈને ધર્મધ્યાન અને શુકલ-ધ્યાનમાં મગ્ન બને છે ત્યારે એનો કાઉસગ્ગ ભાવકાઉસગ્ગ બને છે. ભાવ-કાઉસગ્નમાં સાંસારિક વાસનાઓના ત્યાગ ઉપર, આર્ત અને રૌદ્ર ધ્યાનના ત્યાગ ઉપર, કષાયોના ત્યાગ ઉપર તથા અશુભ કર્મબંધનના ત્યાગ ઉપર સવિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ાઉસગ્ગ કે ૧૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy