SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિક્રમણ ‘પ્રતિક્રમણ’ (પડિકમણું) એ જૈનોનો વિશિષ્ટ પારિભાષિક શબ્દ છે. પાપમાંથી પાછા હઠવા માટેની ક્રિયા માટે આ શબ્દ વપરાય છે. પ્રતિક્રમણ શબ્દમાં ‘પ્રતિ’ ઉપસર્ગ છે. એના જુદા જુદા અર્થ થાય છે. અહીં ‘પ્રતિ’ એટલે પાછું, પ્રતિકૂળ, ઊલટું, વિપરીત, વિરુદ્ધ એવો અર્થ થાય છે. ‘મ્’ એ ધાતુ છે. તેનો અર્થ થાય છે ગમન, પહોંચવું, પસાર થવું, ચઢવું, દાખલ થવું, પગલાં ઇત્યાદિ. એ ધાતુને ‘અણ’ પ્રત્યય લાગતાં ‘મળ’ શબ્દ બને છે. ઉપસર્ગ, ધાતુ અને પ્રત્યયથી આ રીતે ‘પ્રતિમ' શબ્દ થાય છે. આમ પ્રતિક્રમણ' શબ્દનો યૌગિક અર્થ થાય છે પાછા ફરવું’ અથવા મૂળ સ્થાને પાછા આવવું'. એનો વિશેષ અર્થ છે : પ્રમોદને વશ થવાને કારણે શુભ યોગથી અશુભ યોગમાં ક્રાંત થયેલા જીવનું શુભ યોગમાં પાછા ફરવું'. વિશાળ અર્થમાં પ્રતિક્રમણ એટલે પાપનો પશ્ચાત્તાપ, અતિચારોની આલોચના, દોષોનું નિવારણ, અશુભની નિવૃત્તિ, અપરાધો માટે ક્ષમાપના. પ્રતિક્રમણની વ્યાખ્યા આપતાં આવશ્યક-વૃત્તિ'માં હરિભદ્રસૂરિએ કહ્યું છે : स्वस्थानद्यत्परस्थानं प्रमादस्य वज्ञादत्तः । तत्रव क्रमणं भूयः प्रतिक्रमणमुच्यते ॥ પ્રમાદને વશ થવાથી પોતાના સ્થાનથી પરસ્થાને ગયેલાએ મૂળસ્થાને પાછું ફરવું તેનું નામ પ્રતિક્રમણ.) વળી તેમણે કહ્યું છે क्षायोपशमिकाद बावदौदयिकस्य वश गतः । तत्रापि च स एवार्थः प्रतिकूलगमात्स्मृतः ॥ (ક્ષયોપરામિક ભાવ થકી ઔયિક ભાવને વશ થનાર જીવનું તેને જ વિશે પ્રતિક્રમણ ૧૦૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy