SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ (સ્વાધિસ્થાન) અને વર્ધમાન મણિપુર) એ પ્રમાણે ચોવીસ તીર્થકરોનું નામસ્મરણ ચક્રોમાં જો ગણવામાં આવે તો વિશિષ્ટ શક્તિ આપવામાં બને છે. તીર્થકરોની કલા પણ સાડા ત્રણ ગણાવવામાં આવે છે. આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય એ ચાર બાકી રહેલાં અઘાતી કર્મમાં આયુષ્યકર્મ અડધું ભોગવવાનું બાકી હોવાથી સાડા ત્રણ કર્મ બાકી રહે છે અને તીર્થંકરનાં એ અઘાતી કર્મ પ્રશન્ન પ્રકારનાં હોવાથી ‘કલા તરીકે ઓળખાય છે. એટલે સાડા ત્રણ વલય સાથે સાડા ત્રણ કલા જોડાયેલી છે. આમ લોગસ્સ સૂત્રની ગાથાઓ વિશિષ્ટ યોગપ્રક્રિયા સાથે સંકળાયેલી છે અને એનો મહિમા સવિશેષ છે. ત્રીજી ગાથામાં નવમા તીર્થંકર સુવિધિનાથનાં બે નામ આપવામાં આવ્યાં છે : (૧) સુવિહિ અને (૨) પુર્ઘત. શ્વેતામ્બરોમાં સુવિધિનાથ નામ વધુ પ્રચલિત છે. દિગમ્બરોમાં પદ્દત નામ વધુ પ્રચલિત છે. લોગસ્સમાં અન્ય કોઈ તીર્થંકરનાં બે નામ નથી આપવામાં આવ્યાં. સુવિધિ અને પુદત એ બે નામો આપવામાં આવ્યાં છે. એ બે નામોમાંથી કોઈ પણ એકનો વિશેષ નામ તરીકે અને બીજાનો વિશેષણ તરીકે અર્થ ઘટાવી શકાય છે. પરંતુ કર્તાએ બે નામ કેમ પ્રયોજ્યાં હશે તેનો કોઈ ખુલાસો નથી. છંદની દૃષ્ટિએ જરૂરી હશે એવું એક અનુમાન થાય છે. ચક્રોની દષ્ટિએ સુવિધિનાથનું ધ્યાન સ્વાધિસ્થાન ચક્રમાં આવે છે. એ ચક્રમાં ધ્યાનને વધુ દઢ કરવાનું કોઈ પ્રયોજન હશે એવું અનુમાન પણ થાય છે. લોગસ્સ સૂત્રમાં પ્રત્યેક તીર્થકરનું નામ વિશેષ નામ તરીકે છે. પરંતુ તદુપરાંત દરેક તીર્થંકરના નામનો વિશિષ્ટ અર્થ પણ છે. અને અર્થની દૃષ્ટિએ પણ તેનું માહાભ્ય છે, કારણ કે દરેક તીર્થકરનું વિશેષ નામ અવશ્ય ગુણનિષ્પન્ન હોય છે. તીર્થકરોનું ધ્યાન જો ચક્રોમાં કરવામાં આવે તો આ વિશિષ્ટાર્થની દૃષ્ટિએ પણ ઉચિત અને અર્થપ્રેરક બને છે. તે તે તીર્થકરોના યક્ષ-યક્ષિણીનાં નામના વિશિષ્યર્થ પણ તે તે ચક્રોની દૃષ્ટિએ પણ બહુ જ સૂચક છે. આ ઘણો જ ગહન વિષય છે. જેમ પ્રણિધાન અનુપ્રેક્ષા વધતાં જાય તેમ તેમ સાધકોને વધુ ને વધુ પ્રકાશ અને ઉઘાડનો અનુભવ થાય એવું આ લોગસ્સ સૂત્ર છે. ચોવીસ તીર્થંકરોનાં નામનું સ્મરણ, રટણ અનુક્રમે એક એક ચક્રમાં પ્રણિધાનપૂર્વક કરવામાં આ રીતે સાડા ત્રણ વર્તુળ થાય છે. તેમાં પ્રથમ વર્તુળ દર્શનનું છે, બીજું વર્તુળ જ્ઞાનનું છે, ત્રીજું વર્તુળ ચારિત્રનું છે અને ચોથું અડધું વર્તુળ તપનું છે. ત્રણ વર્તુળ પૂરાં થાય તે પછીના અડધા વર્તુળમાં નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીરસ્વામી એ ત્રણ તીર્થંકરોનું ધ્યાન ધરવાનું છે. એ ત્રણ તીર્થકરોનાં જીવનનું અવલોકન કરીએ તો તેમાં બાહ્ય અને આત્યંતર તપની મહત્તા સવિશેષ જણાશે. લોગસ્સ સૂત્ર ૮૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy