SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિક શિક્ષાવ્રત છે માટે જ તે વારંવાર કરવાનું કહ્યું છે, કારણ કે કોઈ પણ કાર્ય વારંવાર કરવાથી, તેના વધુ મહાવરાથી તે વધુ સારી રીતે થઈ શકે છે. જેમ અનુભવ વધતો જાય તેમ તેની ખામીઓ દૂર થતી જાય. સાધનામાં અભ્યાસથી ઉત્તરોત્તર વિશુદ્ધિ આવતી જાય છે. આરંભમાં થોડી કચાશ હોય, તેથી તે પ્રવૃત્તિ છોડી દેવાને યોગ્ય નથી. કુંભારનો દીકરો ચાકડા ઉપર માટીનાં વાસણ બનાવતાં શીખે અથવા નાનું બાળક અક્ષર લખતાં શીખે તો તેમાં જેમ જેમ વધારે મહાવરો થતો જાય તેમ તેમ પરિણામ સારું આવતું જાય. સામાયિક વ્રતમાં આરંભમાં કોઈને લેવાની કે પારવાની વિધિ બિલકુલ ન આવડતી હોય તો તે વગર પણ સામાયિકનો આરંભ કરી શકે છે, અને પછી તેની વિધિ શીખી લઈ શકે છે. શાસ્ત્રકારોએ કહ્યું છે કે વ્રતનું પાલન ન કરનારને જેટલો દોષ લાગે છે તેટલો દોષ અવિધિથી વ્રત કરનારને લાગતો નથી. વિશેષાવશ્યક ભાષ્યમાં શ્રી જિનભદ્ર ક્ષમાશ્રમણે કહ્યું છે : __ सामाइअंभि उ कए समणो इव साववो हवइ जम्हा । ए एण कारणेणं बहुसो सामाइयं कुज्जा ॥ [સામાયિક કરવાથી શ્રાવક સાધુ જેવો થાય છે. એટલા માટે બહુ વાર સામાયિક કરવું જોઈએ.] બે ઘડીના સામાયિકમાં પાપરૂપ પ્રવૃત્તિઓ અટકી જાય છે, અને ત્યાગ તથા સંયમાદિ ભાવો અનુભવવા મળે છે. માટે શ્રાવકોને જ્યારે જ્યારે સમય મળે ત્યારે સામાયિક કરવાની ભલામણ કરવામાં આવી છે : झाहे खणिउ ताहे सामाइयं करेइ । વળી અન્યત્ર પણ કહેવાયું છે: जीवो पमायबहुलो बहुसोवि अ बहुविहेसु अत्येसु । एएण कारणेणं बहुसो सामाइथं कुज्जा ॥ [જીવ બહુ પ્રમાદવાળો છે. બહુ પ્રકારના અર્થોમાં પદાર્થોમાં) તે બહુ રચ્યોપચ્યો રહે છે. એટલા માટે બહુ વાર સામાયિક કરવું જોઈએ.] આવશ્યકચૂર્ણિમાં કહ્યું છેઃ यदा सव्व सामाइयं काउमसतो तदा देससामइयंपि ताव बहुसो कुज्जा तथा जत्थं वा वीसमइ अच्छइ वा निव्वारो सवत्थ सामाइयं करेइ। [જ્યારે સર્વથી સર્વવિરતિ લઈને સામાયિક કરવાને અશક્ત હોઈએ ત્યારે દેશથી (દેશવિરતિમાં) પણ સામાયિક બહુ વાર કરવું જોઈએ. તથા જ્યાં વિસામો (ફુરસદ) મળે અથવા નિપાર હોય (બીજું કંઈ કરવાપણું ન હોય, ત્યારે તો પર વડ જૈન આચારદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002030
Book TitleJain Achar Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages384
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Achar, & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy