SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) નમો – નમો એટલે નમસ્કાર, નમવાની ક્રિયા. જ્યાં સુધી અહંકારનો ભાર છે ત્યાં સુધી નમાતું નથી. એ ભાર નીકળી જાય છે ત્યારે ભારપૂર્વક નમવાની ક્રિયા થાય છે. નમવાનો મનોભાવ સૂક્ષ્માતિસૂક્ષ્મ છે. અણિમા એટલે અણુ જેટલા થઈ જવાની શક્તિ પ્રાપ્ત કરાવનારી સિદ્ધિ. નમો પદનું ધ્યાન ધરતાં ધરતાં અણિમા સિદ્ધિ પ્રાપ્ત થાય છે. (૨) રિહંતા – અરિહંત પરમાત્મા પૂજાને પાત્ર ગણાય છે, એટલે એમનો મહિમા થાય છે. અરિહંત માટે ‘ગર્દતુ' શબ્દ પણ પ્રયોજાય છે. અહંતુ એટલે યોગ્યતા ધરાવનાર અથવા મહિમા ધરાવનાર. ‘રિહંતા' પદનું ધ્યાન ધરવાથી મહિમા નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. (૩) સિદ્ધાનં – આ પદમાં રહેલા ત્રણે અક્ષરો ગુર છે. વળી સિદ્ધિપદ બધાં પદોમાં સૌથી મોટું–ગુરુ છે અને ગૌરવ આપનારું છે એટલે “સિદ્ધા' –પદનું ધ્યાન ગરિમા નામની સિદ્ધિ આપનારું છે. (છ માથરિયાળે – આચાર્ય ભગવંતો સમસ્ત વિશ્વના જીવોને ઉપદેશ આપવાને યોગ્ય છે એટલે આર્ય ભગવંતો આગળ સમસ્ત ગત લઘુ છે. પોતાનામાં લઘુતાનો ભાવ ધારણ કર્યા વગર આચાર્યનો ઉપદેશ ગ્રહણ થઈ શકતો નથી. એટલે ‘સાયિાળપદનું ધ્યાન ધરવાથી લઘિમા નામની સિદ્ધિ પ્રગટ થાય છે. (૫) હવનીયા – ઉવજ્જાય શબ્દ ૩૫, મધ અને ખાય એ ત્રણ શબ્દનો બનેલો છે. ૩પ એટલે પાસે, ધ એટલે અંતઃકરણ અને માય એટલે પ્રાપ્તિ અથવા મેળવવું. ઉપાધ્યાય પાસે સિદ્ધાંતનું અધ્યયન કરવાથી શ્રુતજ્ઞાનનો લાભ થાય છે. એટલે “૩વનાયા' પદનું ધ્યાન ધરવાથી પ્રાપ્તિ' નામની સિદ્ધિ મળે છે. (૬) સબ સાહૂણં –સાહુ એટલે સાધુ એટલે સારા, ભલા. સાધુઓ પોતે પૂર્ણકામ પૂર્ણ સંતોષી) હોય છે અને બીજાઓની ઈચ્છાઓને કે કાર્યોને સફળ કરી આપવામાં સહાયભૂત થાય છે. એટલે “સબૂ સહૂિi' પદનું ધ્યાન ધરવાથી પ્રાકામ્ય' નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. (૭) પંચ નમુક્કારો – પંચપરમેષ્ઠિનું સ્થાન સર્વોત્તમ છે. તેઓ જગતના જીવોને માટે સ્વામી જેવા ગણાય છે. એટલે “પંઘ નમુવારો' પદના ધ્યાનથી ઈશિત્વ’ નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. (૮) નાખે – સર્વ મંગલોમાં ઉત્કૃષ્ટ મંગલ તે ધર્મ છે. ધર્મની સાચી આરાધના કરનારને સર્વ પ્રકારની અનુકૂળતાઓ પ્રાપ્ત થાય છે. અને બીજા જીવો પ્રેમથી તેમને વશ થઈને રહે છે, તથા તેમની આજ્ઞા ઉઠાવવા તત્પર બને છે એટલે નવકારમંત્રમાં સંપદા ૪૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002029
Book TitleJain Dharma Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy