SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ નવકારમંત્રમાં સંપદા ‘સમરો મંત્ર ભલો નવકાર એ પદમાં આપણે ગાઈએ છીએ: અડસઠ અક્ષર એના જાણો, અડસઠ તીરથ સાર; આઠ સંપદ્યથી પરમાણો, અડસિદ્ધિ દાતા; સમરો મંત્ર ભલો નવકાર. નવકારમંત્રની સઋયમાં શ્રી કીર્તિવિમલસૂરિએ કહ્યું છે: સમર જીવ એક નવકાર નિજ હેજ-શું. અવર કાંઈ આળપંપાળ, દ્યખે; વર્ણ અડસઠ નવકારનાં નવ પદ, સંપદા આઠ અરિહંત ભાખે. તેવી જ રીતે શ્રી લબ્ધિસૂરિના શિષ્ય શ્રી પહ્મવિજયે કહ્યું છે: અડસઠ અક્ષર તીરથ સાર; સંપદા આઠ સિદ્ધિ દાતાર; મંગલમય સમરો નવકાર. નવકારમંત્રના બાહ્ય સ્વરૂપનું માહાસ્ય દર્શાવતાં કહેવાયું છે કે એનાં નવ પદ નવ નિધિ આપે છે, અડસઠ અક્ષર અડસઠ તીર્થની યાત્રાનું ફળ આપે છે અને એની આઠ સંપદા આઠ સિદ્ધિ અપાવે છે. નવકારમંત્ર અનાદિ સિદ્ધ ગણાય છે. એ ચૂલિકા સહિત નવ પદનો છે. પંચ પરમેષ્ઠિને-અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને–એ પ્રત્યેકને – નમસ્કાર કરવારૂપ પાંચ પદ નમસ્કારનાં છે. ત્યાર પછી નમસ્કારનો મહિમા દર્શાવનારાં ચાર પદ ચૂલિકાનાં છે. આમ નમસ્કાર મહામંત્રમાં નવ પદના બધા નવકારમંત્રમાં સંપદા ૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002029
Book TitleJain Dharma Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy