SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ જ નમસ્કાર મહામંત્ર સમસ્ત જૈનોનો પ્રાર્થનારૂપ મુખ્યમંત્ર છે. એને માટે નવકારમંત્ર’ શબ્દ રૂઢ થયેલો છે. ધર્મસંસ્કારી દરેક જૈન કુટુંબમાં નાના બાળકને ધર્મનો સૌથી પહેલો પાઠ નવકારમંત્રનો શીખવવામાં આવે છે. નવકારમંત્ર નીચે પ્રમાણે છે : નમો અરિહંતાણં નમો સિદ્ધાણે નમો આયરિયાણં નમો ઉવજઝાયણે નમો લોએ સવ્વસાહૂણે એસો પંચ નમુક્કો સત્ર પાવપણાસણો મંગલાણં ચ સવેર્સિ પઢમં હવઈ મંગલ. નવકારમંત્રનાં નવ પદ છે. તેમાં પ્રથમ પાંચ પદમાં આધ્યાત્મિક જીવનમાં મોક્ષપદ સુધી પહોંચી ગયેલા અથવા પહોંચવા માટે પ્રવૃત્ત થયેલા પાંચ પ્રકારના મહાન આત્માઓને નમસ્કાર કરવામાં આવ્યા છે. એ પાંચ તે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. આ પાંચને “પંચ પરમેષ્ઠિ' કહેવામાં આવે છે. છેલ્લાં ચાર પદમાં નવકારમંત્રનો મહિમા બતાવવામાં આવ્યો છે કે આ પાંચ નમસ્કાર સર્વ પાપોનો નાશ કરનાર છે અને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે. રાગ અને દ્વેષ રૂપી અરિને જે હણે છે અને છેવટે જે મુક્તિ પામે છે એવા સર્વજ્ઞ, સર્વદર્શી અને સર્વકાલના તથા સર્વક્ષેત્રના જિનેશ્વર ભગવંત તે અરિહંત. જે મહાન આત્માઓ કર્મબંધનોમાંથી સર્વથા મુક્ત થઈને મોક્ષપદને પામ્યા છે તે સિદ્ધ ભગવંત દેહધારી જીવન્મુક્ત આત્મા તે અરિહંત અને દેહમુક્ત આત્મા કે સિદ્ધાત્મા. જેઓ પોતે પાંચ મહાવ્રતોનું, આચારનું સંયમપૂર્વક પાલન કરે છે અને બીજાઓ પાસે આચારનું પાલન કરાવે છે તે આચાર્ય. જેઓ મુનિવરોને શ્રુતજ્ઞાનનું નમસ્કાર મહામંત્ર ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002029
Book TitleJain Dharma Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy