SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ आतुरा परितावेन्ति આતુર માણસો પરિતાપ કરાવે છે]. ભગવાન મહાવીરે આચારાંગ સૂત્રમાં પ્રથમ અધ્યયનમાં એક સ્થળે કહ્યું છે કે ઉતરી તાત્તિ અર્થાત્ આતુર માણસો બીજાને પરિતાપ કરાવે છે. હમણાં હમણાં દુનિયામાં ઘણા દેશોમાં રાજદ્વારી અરાજકતાનું કે આતંકવાદી ઘટાઓનું પ્રમાણ વધતું જાય છે. અચાનક કેટલાય નિર્દોષ માણસો પોતાના પ્રાણ ગુમાવે છે. પોતાના એક ધ્યેયને પાર પાડવા માટે સત્તાતુર માણસો બીજા અનેક નિર્દોષ માણસોનો પ્રાણ લેતાં અચકાતા નથી. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન, નેપાલ, કોલંબિયા, લેબનોન, ઇઝરાયેલ વગેરે દેશમાં બનતી હિંસાત્મક ઘટનાઓ આ કથનને પુરવાર કરે છે. ભારતમાં પંજાબ, કાશમીર, આસામ, દિલ્હી, મુંબઈ વગેરે સ્થળે બનતી ભયંકર બોમ્બવિસ્ફોટની ઘટનાઓ બતાવે છે કે પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવા માટે માણસ ભયંકર હિંસક ઉપાયો અજમાવીને વેર વાળે છે. માણસ માનવતા ગુમાવી દઈને કેટલી બધી નીચી પાશવી પાયરીએ ઊતરી જઈ શકે છે તે આવી ઘટનાઓ દર્શાવે છે. આતુર” શબ્દના જુદા જુદા અર્થ થાય છે : આતુર એટલે અધીરો, આકુળવ્યાકુળ, પોતાની ઇચ્છાઓને તૃપ્ત કરવા માટે ધમપછાડા કરનાર. આતુર એટલે ઘવાયેલો, સ્વમાનભંગ થયેલો, નિરાશ માણસ. આતુર એટલે માંદો, અશક્ત માણસ. (સંસ્કૃતમાં આતુરશાલા એટલે ઇસ્પિતાલ) આતુરતા એટલે ઉત્કંઠા, અપેક્ષા, ભાવના, ઉત્સુકતા ઇચ્છા વગેરે. પરંતુ તુરી પftતાત્તિમાં આતુરતા શબ્દ વિશિષ્ટ અર્થમાં વપરાયો છે. ભગવાન મહાવીરે કહ્યું છે કે વિષય અને કષાયોને કારણે કેટલાયે જીવો અજ્ઞાનમય, દુઃખમય, દુર્બોધમય અને હીનતામય જીવન જીવે છે. તેઓ પોતાની આતુરતાને કારણે બીજાં પ્રાણીઓને પરિતાપ ઉપજાવે છે. બીજી બાજુ સાચા, સંયમી પુરુષો કોઈ પણ પ્રકારના જીવને પરિતાપ ન થાય, દુઃખ કે કષ્ટ ન થાય એ રીતે પોતાના જીવનનો નિર્વાહ કરે છે. HRI પરિતાત્તિ - ૨૫૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002029
Book TitleJain Dharma Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy