SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલી રત્નપ્રભા નારકીમાં તથા બીજી શર્કરપ્રભા નારકીમાં એક કાપોતલેશ્યા હોય છે. ત્રીજી વાલુકાપ્રભા નારકીના જીવોમાં કાપોત અને નીલલેશ્યા હોય છે. ચોથી પંકપ્રભા નારકીના જીવોમાં એક નીલેશ્યા હોય છે. પાંચમી ધૂપ્રભા નારકમાં નીલ અને કૃષ્ણલેશ્યા હોય છે. છઠ્ઠી તમ પ્રભા નારકીમાં એક કૃષ્ણલેશ્યા હોય છે અને સાતમી તમતમા પ્રભા નારકીમાં પરમ કૃષ્ણલેશ્યા હોય છે. આમ નારકીના જીવમાં ફક્ત ત્રણ લેશ્યા હોય છે અને પહેલેથી સાતમી નારકી સુધી અનુક્રમે અશુભ, અશુભતર, અશુભતમ લેક્ષા હોય છે. દેવગતિના જીવોમાં પોતપોતાની સ્થિતિ અનુસાર લેયાઓ હોય છે, જેમકે ભવનપતિના અને વાણવ્યંતર દેવ-દેવીમાં ચાર વેશ્યાઓ હોય છે. જ્યોતિષી દેવદેવીમાં એક તેજોલેક્ષા હોય છે. વૈમાનિક દેવ-દેવીમાં ત્રણ શુભ લેયાઓ – તેજો, પત્ર અને શુક્લલેશ્યાઓ હોય છે. અનુત્તરીપપાતિક દેવોને પરમ શુક્લલેશ્યા હોય છે. ચારે ગતિના જીવોની લેશ્યાઓનો અહીં માત્ર સંક્ષેપમાં નિર્દેશ કરવામાં આવ્યો છે. આગમોમાં તે વિશે બહુ વિસ્તારથી વિચારણા કરવામાં આવી છે. લેયાઓના આ બે મુખ્ય વિભાગને બીજી રીતે પણ ઓળખવવામાં આવે છે, જેમ કે પહેલી ત્રણ લેશ્યાઓ દુર્ગધવાળી છે અને પછીની ત્રણ લેગ્યાઓ સુગંધવાળી છે. પહેલી ત્રણ લેયાઓ રસની અપેક્ષાએ અમનોજ્ઞ છે અને પછીની ત્રણ લેગ્યાઓ મનોજ્ઞ છે; પહેલી ત્રણ લેયાઓ સ્પર્શની અપેક્ષાઓ શીતરુક્ષ છે અને પછીની ત્રણ વેશ્યાઓ ઉષ્ણ-સ્નિગ્ધ છે. પહેલી ત્રણ લેયાઓ અધર્મલેશ્યાઓ છે અને પછીની ત્રણ વેશ્યાઓ ધર્મલેશ્યા છે; પહેલી ત્રણ વેશ્યાઓ દુર્ગતિમાં લઈ જનારી છે અને પછીની ત્રણ વેશ્યાઓ સુગતિમાં લઈ જનારી છે; પહેલી ત્રણ લેયાઓ અશુદ્ધ છે અને પછીની ત્રણ વેશ્યાઓ વિશુદ્ધ છે; પહેલી ત્રણ લેયાઓ અપ્રશસ્ત છે અને પછીની ત્રણ વેશ્યાઓ પ્રશસ્ત છે. આ જ પ્રમાણે ભાવલેશ્યાનાં લક્ષણો બતાવવામાં આવે છે. છ લેયા વચ્ચેનો ફરક સમજાવવા માટે પ્રાચીન સમયથી જાંબનું વૃક્ષ અને છ મિત્રોનું દૃષ્ટાન્ત આપવામાં આવે છે. આવયસૂત્રની ટીકામાં શ્રી હરિભદ્રસૂરિએ આ દત્ત આપ્યું છે. (આ દૃષ્ટાન્નનું ચિત્ર કેટલીક પ્રાચીન હસ્તપ્રતોમાં જોવા મળે છે. કેટલાંક મંદિરોમાં આનો પટ કોતરાવેલો હોય છે.) છ મિત્રો એક ઉપવનમાં ફરવા ગયા હતા. તેઓ બહુ ભૂખ્યા થયા હતા. ત્યાં તેઓએ એક જાંબુનું વૃક્ષ જોયું કે જેના ઉપર ઘણાં બધાં જાંબુ લટકતાં હતાં. જાંબુના ભારથી કેટલીક ડાલીઓ લચી પડી હતી. સરસ મઝાનાં જાંબુ જોતાં તે ખાવાની દરેકના મનમાં ઈચ્છા જાગૃત થઈ. તે કેવી રીતે મેળવીને ખાવાં તે વિશે ૨૨૬ જૈન ધર્મ દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002029
Book TitleJain Dharma Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy