SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ અને ચૌદ રાજલોકના જેટલા આકાશપ્રદેશો હોય તેટલાં શુભાશુભ લેશ્યાનાં સ્થાન જાણવાં. મતલબ કે સર્વ કાળે અને સર્વ ક્ષેત્રે શુભ અને અશુભ લેશ્યા હોય છે. કૃષ્ણ, નીલ, કાર્પાત, તેજો, પદ્મ અને શુક્લ એ છે લેશ્યાની જઘન્ય સ્થિતિ અંતમુહૂર્ત છે. દરેકની ઉત્કૃષ્ટ સ્થિતિ જુદી જુદી હોય છે, જેમ કે કૃષ્ણલેશ્યાની સ્થિતિ તેત્રીસ સાગરોપમની ઉપર એક અંતમુહૂર્ત અધિક જાણવી. તે જ પ્રમાણે શુક્લલેશ્યાની સ્થિતિ છે. નીલ, કાપોત, તેજો અને પદ્મલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ જુદી જુદી છે. તિર્યંચ ગતિના જીવોમાં પોતપોતાની સ્થિતિ અનુસાર ત્રણ, ચાર કે છ લેશ્યા હોય છે. જેમકે કેટલાક એકેન્દ્રિય જીવોમાં કૃષ્ણ, નીલ, કાપોત એમ ત્રણ લેશ્યાઓ હોય છે અને કેટલાક જીવોમાં તેજોલેશ્યા સહિત એમ ચાર લેશ્યાઓ હોય છે. બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય અને ચાર ઇન્દ્રિયવાળા જીવોમાં ત્રણ લેશ્યા હોય છે. તિર્યંચ પંચેન્દ્રિય જીવોમાં કેટલાકમાં ત્રણ અશુભ લેશ્યાઓ હોય છે અને કેટલાંકમાં ત્રણ અશુભ અને ત્રણ શુભ લેશ્યાઓ હોય છે. મનુષ્ય ગતિના જીવોમાં ત્રણ અશુભ અને ત્રણ શુભ એમ છ લેશ્યાઓ હોય છે. મનુષ્યગતિના જીવો ચૌદમે ગુણસ્થાનકે અલેશી હોય છે. અકર્મ–ભૂમિના મનુષ્યોમાં ચાર લેશ્યા હોય છે અને સંમુર્ચ્છિમ મનુષ્ય જીવોમાં ત્રણ લેશ્યા હોય છે. જીવ આત્મિક વિકાસ કરતો કરતો ઉપર ચડે છે. જૈન દર્શનમાં આત્મિક વિકાસનાં આવાં ચૌદ પગથિયા-ચૌદ ગુણસ્થાન બતાવવામાં આવ્યાં છે. નીચેથી ઉપરના ગુણસ્થાને આરોહણ કરતા જીવોમાં કયે કયે ગુણસ્થાને કઈ કઈ લેશ્યાઓ હોય છે તે ભગવતીસૂત્રમાં બતાવ્યું છે. આમાં પહેલાથી છઠ્ઠા ગુણસ્થાન સુધી જીવમાં છએ લેશ્યાઓ – કૃષ્ણ, નીલ, કાપોત, પીત, પદ્મ અને શુક્લ એ છ લેશ્યાઓ હોય છે. સાતમે ગુણસ્થાને ત્રણ શુભ લેશ્યાઓ - પીત, પદ્મ અને શુક્લ એ લેશ્યાઓ હોય છે. આઠમાથી બારમા ગુણસ્થાન સુધી જીવને એક માત્ર શુક્લલેશ્યા હોય છે. તેરમે ગુણસ્થાને જીવને ૫૨મ શુક્લલેશ્યા હોય છે. આમ પહેલાથી તેમા ગુણસ્થાન સુધી શુક્લલેશ્યા અવશ્ય હોય છે. ચૌદમે ગુણસ્થાને જીવ અલેશી એટલે કે લેશ્યારહિત હોય છે. નાકીના જીવોમાં લેશ્યા નીચે પ્રમાણે હોય છે : Jain Education International एवं सत्तवि पुढवीओ नेयव्वाओ णावत्तं लेसासु । काऊ य दोसु तईवाए मीसिया नीलिया चउत्थीए । पंचमिया मीसा कण्हा तत्तो परम कण्हा ॥ લેશ્યા ૨૨૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002029
Book TitleJain Dharma Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy